દેવભૂમિ દ્વારકામાં ૧૬ વર્ષીય અજય કનારા નામના કિશોરના મોત બાદ આરોગ્ય તંત્રમાં ચકચાર મચી છે. સતત જાડા ઉલ્ટી થવાને કારણે તેને પરમ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં બીએએમએસ ડિગ્રી ધરાવતા ડોકટરે ઇન્જેક્શન આપ્યા બાદ તેની તબિયત બગડી હતી ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, પરિવારજનોએ બન્ને ડોક્ટર વિરુદ્ધ બેદરકારીની ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
બંને એલોપેથી સારવાર આપતા હતા છતાં લાયસન્સ વિનાના હોવાનું બહાર આવ્યું છે. હોસ્પિટલોમાં ફાર્માસિસ્ટ, ફાયર સેફ્ટી અને યોગ્ય દસ્તાવેજોની ગેરહાજરી સાથે ટેક્સ ચોરીના આક્ષેપો પણ સામે આવ્યા છે. પોલીસે તથા આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે.
બંને ડોક્ટર ફક્ત બીએએમએસ ડિગ્રી ધરાવતા હોવાનું બહાર આવ્યું. છતાં પણ બન્ને ડોક્ટર એલોપેથી દવાઓ અને ઈસીજી જેવી સારવાર આપતા હતા.
હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ વગર ધમે ધમે છે મેડિકલ સ્ટોર્સ અને ફાયર સેફ્ટી તો છેજ નહી. એટલું જ નહીં બન્ને ડોક્ટરોએ સારવારની કોઈ પેપર પર એન્ટ્રી જ નથી કરી કે નથી કોઈ બિલ બનાવ્યા અહીં ટેક્સ ચોરી પણ થઈ રહી છે તે સ્પષ્ટ દેખાય છે.
મૃતકનો પોસ્ટમોર્ટમ કરાયું છે અને સેમ્પલ એફએસએલ માટે મોકલાયા. પોલીસ અને આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે ત્યારે આ બનાવ બાદ દ્વારકા જિલ્લામાં ચાલતા નિયમો વિરુદ્ધના હોસ્પીટલ અને મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે.