સુરતમાં 23 વર્ષની મોડલે પંખા સાથે દુપટ્ટો બાંધી જિંદગી ટૂંકાવી, છેલ્લી રીલમાં લખ્યું-વાલા હતા ઈ વયા ગયા ને ઈ ખટકે છે

  • June 08, 2025 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતમાં 2 મે, 2025એ 19 વર્ષીય મોડલ સુખપ્રીત લખવિંદરસિંહ કૌર આપઘાત કર્યો હતો. આ ઘટનાની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં વધુ એક મોડલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. તેણ માનસિક તણાવમાં આ પગલું ભર્યાનું અનુમાન છે. પોલીસે મોડલનો મૃતદેહ પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


અંજલિએ છેલ્લી રીલ્સમાં આવું લખી પોસ્ટ કરી

મૃતક અંજલિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકેલી છેલ્લી રીલમાં લખ્યું છે કે, બધા જ વયા ગયા હોત ને તો વાંધો નહોતો પણ વાલા હતા ઈ વયા ગયા ને ઈ ખટકે છે. બીજી એક રીલમાં લખ્યું છે કે, આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઈક નથી તારા માટે 


પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો

મળતી માહિતી મુજબ, સુરતના નવસારી બજાર વિસ્તારમાં આવેલા કાર્તિક એપાર્ટમેન્ટમાં 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરા પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા એક ભાઈ અને એક બહેન છે. અંજલિ મોડલ તરીકે અલગ અલગ કંપનીઓ સાથે કામ કરતી હતી. હાલ છેલ્લા થોડા મહિનાઓથી અંજલિ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે કામ કરી રહી હતી. તે દરમિયાન અંજલિએ મોડી રાત્રે બે વાગ્યા આસપાસ પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતા દરવાજો ખખડાવવા છતાં દરવાજો ન ખોલતા તોડીને પ્રવેશ કરતા અંજલિ લટકતી હાલતમાં મળી આવી હતી. દીકરીના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application