તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલી નવી ૨૫ ઇલેક્ટ્રીક એર કન્ડિશન સીટી બસ લોક સેવામાં મુકાય છે અને ગઈકાલથી જ વિવિધ રૂટ પર દોડતી થઈ ગઈ છે. અમુક બસ તદ્દન નવા શરૂ કરાયેલા રોડ પર મૂકવામાં આવી છે જ્યારે અમુક બસ હયાત રૂટ ઉપર ફ્રિક્વન્સી વધારીને મુકાઇ છે.
મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું, રાજકોટનાં શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. દ્વારા કરવામાં આવી રહેલ છે. આ બંને બસ સેવાનો દૈનિક ધોરણે અંદાજીત ૫૦,૦૦૦ થી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવી રહેલ છે. હાલમાં કરવામાં આવેલ સિનિયર સિટિઝનને ફ્રી મુસાફરીની જાહેરાત અનુસાર અંદાજીત દૈનિક ૭,૦૦૦ થી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા તા. ૨૬-૩-૨૦૨૫, બુધવારના રોજ ૨૫ મીડી એ.સી. ઇલેક્ટ્રીક બસનુ લોકાર્પણ કરવામાં આવેલ છે જેને ગઈકાલે તા.૨૭ના રોજથી વિવિધ રૂટ ઉપર સેવામાં મુકવામાં આવી છે. ઉક્ત બસનો ઉમેરો થતા સિટી બસ તથા બીઆરટીએસ સેવા અંતર્ગત હાલમાં કુલ ટોટલ ૨૨૪ બસ દ્વારા કુલ ૭૯ રૂટ પર પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ શહેરમાં સિટી બસ સેવાના હયાત રૂટ તેમજ નવા રૂટ ચાલુ કરવા બાબતે રૂટ રેશનાલાઇઝેશન અંગેની કામગીરીમાં જર્મનીની એજન્સી સાથે ભારત સરકારના આવાસ, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કો-ઓપરેશન દ્વારા કમિશન્ડ કરાયેલ સસ્ટેનેબલ અર્બન મોબીલીટી, એર ક્વોલીટી, ક્લાઇમેટ એક્શન અને એક્સેસિવીલીટી સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટની અમલવારી માટેનોટેકનીકલ સહ્યોગ વિનામુલ્યે આપવામાં આવી રહેલ છે.
આટલા રૂટ ઉપર મુકાઇ નવી નકોર બસ
(૧) રૂટ નં -૫૩ ભકિનગર સ્ટેશન થી જિલ્લા અને સેશન કોર્ટ
(૨) રૂટ નં-૬૦ત્રિકોણબાગ થી રાવકી GIDC
(૩) રૂટ નં-૬૭ ત્રિકોણબાગ થી ગર્વમેન્ટ એન્જીનીંયરીંગ કોલેજ
(૪) રૂટ નં -૮૧ ગોકુલ પાર્ક (માંડા ડુંગર) થી એઈમ્સ હોસ્પિટલ
(૫) રૂટ નં -૮૯ ત્રિકોણબાગથી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ચોકડી
(૬) રૂટ નં -૯૧ વગડ ચોકથી ત્રંબા ગામ
(૭) રૂટ નં-૮મવડી ગામથી ગ્રીનલેન્ડ ચોકડી
(૮) રૂટ નં-૨૩ મનસુખભાઈ છાપીયા ટાઉનશીપથી પ્રદ્યુમન પાર્ક
(૯) રૂટ નં-૩૬ ભકિતનગર સર્કલથી બાધીનું પાટીયું
(૧૦) રૂટ નં-૫૮ માધાપર ચોકથી એઇમ્સ હોસ્પિટલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech