સાબરકાંઠાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર આજે બપોરે ભયાનક અકસ્માત સર્જાયો હતો. એસટી બસ, જીપ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા એક બાળકી સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા અને 9 જેટલા લોકોને ઈજા પહોંચતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાને લઈને આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને કચ્ચરઘાણ થયેલા વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તેમજ અકસ્માતને લઈ રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. પોલીસ દોડી આવી ઘાયલોને 108 મારફત હોસ્પિટલ ખસેડાયા હતા.
મૃતકોનાં નામની યાદી
મળતી માહિતી પ્રમાણે, જીપમાં અને બાઈક પર સવાર પૈકીના ચારનાં મોત થયાં છે, જ્યારે 9 લોકોને ઇજા થઇ છે, જેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે મટોડા ખસેડાઇ છે. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ પણ પોતાના સ્ટાફ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોની સારવાર અંગે માહિતી મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર એસ.ઓ.જી. દ્વારા લાલપુર ખાતે NDPS અંગે સેમિનાર યોજાયો
June 18, 2025 07:13 PMઅમદાવાદ પ્લેન ક્રેશ: 208 મૃતકોના DNA મેચ, 173 મૃતદેહો પરિવારોને સુપરત
June 18, 2025 06:43 PMદેવભૂમિ દ્વારકા..જિલ્લામાં ત્રણ વર્ષમાં રૂ.100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
June 18, 2025 06:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech