ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 77, સુરતમાં 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની નાગરિકોનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાતમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેલા 7 નાગરિક છે. જેમાં અમદાવાદમાં 5,ભરુચ અને વડોદરામાં એક-એક પાકિસ્તાની નાગરિક છે. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાની નાગરિકોએ અલ્ટિમેટમ મુજબ દેશ છોડવો જ પડશે. એ માટે જિલ્લાઓમાં સૂચના આપી દેવામાં આવી છે, જોકે પાકિસ્તાનથી આવેલા શરણાર્થી હિન્દુઓને તેમને કોઈ હેરાનગતિ ન થાય એની પણ ચિંતા કરીએ છીએ.
પોલીસ એકઠી કરી રહી છે માહિતી
કેટલાક કિસ્સાઓ એવા પણ છે. જેમાં પાકિસ્તાનમાં લગ્ન થયા હોવા છતાં છૂટાછેડા બાદ લોકો ફરી ભારત આવ્યા હોય અને હવે તેઓ ભારતની નાગરિકતા મેળવવા માટેની પ્રક્રિયા હેઠળ છે. પાકિસ્તાનથી આવેલા તમામ લોકો પર પોલીસની કડક નજર રહે છે. હાલ તમામની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે, પરંતુ અમદાવાદ ફોરેનર્સ રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસ દ્વારા સૂચના ન મળે ત્યાં સુધી આગળની કાર્યવાહી કરવામાં આવશે નહીં. સૂચના મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વડોદરામાં પાકિસ્તાની નાગરિકોની ચકાસણી શરૂ
આ નિર્ણયને લઈ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે અને શોર્ટ ટર્મ વિઝા પર વડોદરામાં રહેતા પાકિસ્તાની નાગરિકોની ચકાસણી હાથ ધરી છે. આ દરમિયાન વડોદરામાં માત્ર એક પાકિસ્તાની મહિલા શોર્ટ ટર્મ વિઝા પર વડોદરા આવી હોવાની વિગતો મળી છે. શોર્ટ ટર્મ વિઝા મેળવી વડોદરા આવેલી પાકિસ્તાની મહિલા ભારત સરકારની સુચના મૂજબ 27 એપ્રિલ સુધીમાં ભારત છોડી પાકિસ્તાન પરત જશે.
વડોદરા શહેરમાંથી પાકિસ્તાનના નાગરિકોને પરત મોકલવા અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, અમે આખી એક્સસાઇઝ કરી રહ્યા છીએ. વડોદરા શહેરમાં યુનિવર્સિટીઝ અને એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ હોવાથી વિદ્યાર્થીઓના, પ્રવાસીઓની સુરક્ષા અંગેનું ધ્યાન રાખવામાં આવી રહી છે.
પાકિસ્તાનથી આવેલા અને ભારતનું નાગરિકત્વ મેળવી અમદાવાદમાં રહેતા અર્જુને જણાવ્યું હતું કે હજી સુધી અમદાવાદમાં રહેતા અને પાકિસ્તાનથી આવેલા કોઈને કોઈ પણ પ્રકારની સૂચના મળી નથી. જે છેલ્લા ત્રણ મહીનામાં અહીં આવ્યા હોય તેમને તકલીફ પડી શકે છે. રાજસ્થાનના જોધપુરમાં રહેતા પાકિસ્તાઓને દેશ છોડી જવા સૂચનાઓ અપાઈ હોવાની માહિતી તેમને મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech