આર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ

  • May 02, 2025 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
આર માધવને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં એનસીઈઆરટીના અભ્યાસક્રમ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે આ બધું કહ્યા પછી તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે, પણ તે હજુ પણ બોલશે, અહી અટકશે નહી.'કેસરી 2' ફેમ આર માધવને બાળકોને ભણાવવામાં આવી રહેલા ઇતિહાસ પર સવાલ ઉઠાવ્યા છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, આર માધવને પૂછ્યું કે આ અભ્યાસક્રમ કોણે નક્કી કર્યો? એટલું જ નહીં, તેમણે એ પણ પૂછ્યું કે મુઘલો પર આઠ પ્રકરણો શા માટે છે અને ચોલ સામ્રાજ્યના વારસાનું વર્ણન ફક્ત એક જ પ્રકરણમાં કરવામાં આવ્યું છે.


આર માધવને ઇન્ટરવ્યુમાં કહ્યું, "મને ખબર છે કે જો હું આ કહું તો ભવિષ્યમાં મને મુશ્કેલીનો સામનો કરવો પડશે, પરંતુ હું હજી પણ તે કહીશ. જ્યારે મેં શાળામાં ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો, ત્યારે મુઘલો પર આઠ પ્રકરણો, હડપ્પા અને મોહેંજોદડો સભ્યતા પર બે પ્રકરણો, બ્રિટિશ શાસન અને સ્વતંત્રતા સંગ્રામ પર ચાર પ્રકરણો અને દક્ષિણ રાજ્યો - ચોલ, પાંડ્ય, પલ્લવ અને ચેરા પર ફક્ત એક પ્રકરણ હતા


આર માધવને આગળ કહ્યું, “બ્રિટિશ અને મુઘલોએ લગભગ 800 વર્ષ સુધી આપણા પર શાસન કર્યું, પરંતુ ચોલ સામ્રાજ્યનો વારસો 2400 વર્ષ જૂનો છે. ચોલ રાજવંશ દરિયાઈ મુસાફરી અને નૌકાદળ શક્તિની દ્રષ્ટિએ મોખરે હતો. તેમનો વેપાર રોમ સુધી વિસ્તર્યો હતો અને તેમણે તેમના દરિયાઈ કાફલા દ્વારા અંગકોર વાટ (કંબોડિયા) સુધી મંદિરો બનાવ્યા હતા. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ ચીનમાં ફેલાયો હતો. કોરિયામાં હજુ પણ તમિલ ભાષાના ઘણા શબ્દો વપરાય છે, જે દર્શાવે છે કે તમિલ સંસ્કૃતિ ત્યાં પહોંચી હતી, પરંતુ આટલો મહાન અને સમૃદ્ધ વારસો આપણા પુસ્તકોમાં ફક્ત એક પ્રકરણ સુધી મર્યાદિત હતો? આર માધવન એ કહીને સમાપન કર્યું, "આ અભ્યાસક્રમ કોણે નક્કી કર્યો? તમિલ વિશ્વની સૌથી જૂની ભાષા છે, પરંતુ તેના વિશે કોઈ જાણતું નથી. આપણી સંસ્કૃતિમાં છુપાયેલા વૈજ્ઞાનિક જ્ઞાનની હજુ પણ મજાક ઉડાવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application