ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિમાન દુર્ઘટનામાં દુ:ખદ અવસાન થયું હતું. જેમના મૃતદેહનો DNA મેચ થતાં તેમના મૃતદેહને રાજકોટ ખાતે તેમના નિવાસ્થાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ તેમજ રાજકોટ વાસીઓ ઉપસ્થિત રહી પુષ્પાજલી અર્પી હતી તેમજ રૂપાણી પરિવારને હૈયા હૂંફ આપી હતી. તે સમયે સ્વ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં અંજલિ રૂપાણી
અંજલિ રૂપાણી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમને સાંત્વના આપી હતી. CM ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ, સી આર પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત રાજકીય અનેક આગેવાનો તેમજ સગાસંબધીઓ અને રાજકોટવાસીઓ તેમના નિવાસ્થાને પહોંચીને વિજય રૂપાણીના પાર્થિવદેહને પુષ્પાજલી અર્પી શ્રદ્ધાંજલિ અર્પી હતી
વિજયભાઈ અમર રહોના નારા લાગ્યા
આ સમય દરમિયાન વિજયભાઈ અમર રહોના નારા લાગ્યા હતા તેમજ લોકોએ ગુલાબની પાંખડીઓ-દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આર્પી હતી. પાર્થિવદેહ ઘરે પહોંચતા જ વિજયભાઈ અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા, ભારત માતા કી જયના નાદ ગુંજી ઉઠ્યા હતાં.
સંપૂર્ણ સન્માન સાથે પાર્થિવદેહ સોંપવામાં આવ્યો હતો
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનાં ધર્મપત્ની અને પુત્ર સહિતના પરિવારજનોને સંપૂર્ણ સન્માન સાથે સોંપવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયા રાજ્યના પ્રોટોકોલ અનુસાર અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી. રાજ્ય સરકારે તેમના યુગદર્શી નેતૃત્વ, જાહેર જીવનમાં નૈતિકતા અને કરુણા, લોકહિતનાં કાર્યોને સ્મરણ કરી, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનીની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિત રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીઓ તેમજ અનેક સંસ્થાઓ -સમુદાયોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech