જામનગર અને દ્વારકા જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી નાની વયે હાર્ટના હુમલાના બનાવોનું પ્રમાણ યથાવત રહયુ છે, તાજેતરના બનાવો ઉપરાંત ગઇકાલે ખંભાળીયા તાલકુાના ભીંડા ગામમાં ૪૬ વર્ષીય એક મહીલાને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.
ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે રહેતા સવિતાબેન આનંદભાઈ ચાવડા નામના ૪૬ વર્ષના મહિલાને ગઈકાલે શુક્રવારે પોતાના ઘરે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ આનંદભાઈ હમીરભાઈ ચાવડાએ અહીંની પોલીસને કરી છે.