BREAKING NEWS

રાજકોટ દિવાળીની રાત્રે ફટાકડા ફોડતા 57 લોકો દાઝ્યા, એક દર્દી હોસ્પિટલમાં દાખલ

  • October 21, 2025 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાને કારણે ૫૭ જેટલા લોકોને દાઝી જવાના બનાવો સામે આવ્યા હતા. આ તમામ કેસને સારવાર માટે સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. જોકે, સદભાગ્યે મોટાભાગના દર્દીઓને સામાન્ય ઈજાઓ થઈ હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી. માત્ર એક જ દર્દીને વધુ સારવારની જરૂર જણાતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલના તબીબી સ્ટાફે આખી રાત ખડેપગે રહીને દાઝી ગયેલા દર્દીઓની ત્વરિત સારવાર કરી હતી. દિવાળીની ઉજવણીમાં ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા છતાં આટલા કેસ નોંધાતા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application