ગુજરાત સરકારે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાજ્યમાં 9 નવી મહાનગર પાલિકાની જાહેરાત કરી છે. આ સાથે જ રાજ્યમાં મહાનગર પાલિકાઓની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. સરકારે આ નવી મહાનગર પાલિકાઓના સુચારુ વહીવટ માટે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક પણ કરી દીધી છે.
કઈ નગરપાલિકાઓ બની મહાનગર પાલિકા?
સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, નીચેની નગરપાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, ગાંધીધામ આ નવ શહેરો હવેથી મહાનગર પાલિકા તરીકે ઓળખાશે અને તેમનો વહીવટ પણ તે મુજબ ચાલશે.
મહાનગર પાલિકા બનવાથી શું બદલાશે?
મહાનગર પાલિકાનો દરજ્જો મળવાથી આ શહેરોમાં અનેકવિધ ફેરફારો આવશે. જેમાં મુખ્યત્વે શહેરી આયોજન, માળખાકીય સુવિધાઓ, નાગરિક સેવાઓ અને વહીવટી સંચાલનમાં સુધારો થશે. આ ઉપરાંત, શહેરોને વિકાસ માટે વધુ ભંડોળ ઉપલબ્ધ થશે અને મોટા પ્રોજેક્ટ્સને અમલમાં મૂકવાનું સરળ બનશે.
આ અધિકારીઓને મળી જવાબદારી
સ્વપ્નિલ ખરે, મ્યુનિસિપલ કમિશનર, મોરબી
મિલિંદ બાપના, મ્યુનિસિપલ કમિશનર, આણંદ
મિરાંત જતીન પારેખ, મ્યુનિસિપલ કમિશનર, નડીયાદ
યોગેશ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર, વાપી
રવિન્દ્ર ધ્યાનેશ્વર ખટાલે, મ્યુનિસિપલ કમિશનર, મહેસાણા
જી.એ. સોલંકી, મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગર
શ્રીદેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર, નવસારી
એચ.જે. પ્રજાપતિ, મ્યુનિસિપલ કમિશનર, પોરબંદર
એમ.પી. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech