ન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ

  • May 12, 2025 10:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે કે ભારત કોઈપણ પ્રકારનું પરમાણુ બ્લેકમેઇલિંગ સહન નહીં કરે. તેમણે કહ્યું કે ભારત પોતાની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે અને કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે.


વડાપ્રધાને આ સંદેશ 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ રાષ્ટ્રને સંબોધતા આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ભારત શાંતિ ઈચ્છે છે, પરંતુ જો કોઈ દેશ ભારતને નબળું સમજવાની ભૂલ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે ભારતની શાંતિને નબળાઈ ના સમજવી.


​​​​​​​વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ અપીલ કરી કે તેઓ પાકિસ્તાનને આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવા માટે દબાણ કરે. તેમણે કહ્યું કે આતંકવાદ એ સમગ્ર વિશ્વ માટે ખતરો છે અને તેને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે તમામ દેશોએ સાથે મળીને કામ કરવું જોઈએ.

વડાપ્રધાનના આ કડક સંદેશથી સ્પષ્ટ થાય છે કે ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનો સમાધાન કરવા તૈયાર નથી અને કોઈપણ પડકારનો સામનો કરવા માટે સક્ષમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application