ભાવનગર શહેરના ચાવડી ગેટ હનુમાનજી દાદા ના મંદિર ની બાજુમાં આજે સવારે એક અજાણ્યા યુવાન નો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ નીલમબાગ પોલીસને કરાતા પોલીસે દોડી જઈ ગંભીર ઇજા થયેલી સ્થિતિમાં પડેલા મૃતદેહનો કબ્જો લઇ તેને પોસ્ટ મોર્ટમ મસ્ટ સર્ટી હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખવિધિ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહ મળી આવતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી અને સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ મૃતકને માથાના ભાગે કોઈ બોદર પદાર્થ ના ઘા મારેલા હોવાનું જણાઈ આવ્યું હોય હાલ નીલમબાગ પોલીસે અજાણ્યા યુવાનની હત્યા કરવામાં આવી છે કે અકસ્માતે મોત થયું છે. તે સહિતની બાબતો પર તપાસ આદરી છે. જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણવા મળશે. હાલ પોલીસે મૃતકના વાલી-વારસની શોધખોળ માટે નાપ્રયાસ હાથ ધર્યા હોવાનું હોસ્પિટલ પોલીસ ચોકીથી જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech