એરપોર્ટ રોડ પર કચરાના ઢગલામાં લાગી આગ

  • March 09, 2024 07:23 PM 

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આગની ઘટના બની હતી. સુભાષનગર એરપોર્ટ રોડ પર બાલા હનુમાનજી મંદિર સામે આવેલી ખુલ્લી જગ્યામાં પડેલા કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી હતી. આજે મુખ્યમંત્રી ભાવનગર આવી રહ્યા હોય તેવા સમયે જ એરપોર્ટ રોડ પર પડેલા કચરાના ઢગલામાં અચાનક આગ લગતા તંત્ર દોડતું થયું હતું. આગના બનાવ મામલે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. જેની જાણ થતાની સાથે જ ભાવનગર મહાનગરપાલિકા ફાયર ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયું હતું. જોકે કચરામાં મોડી રાતથી આગ લાગી હોવાથી ફાયરની બે જેટલી ગાડી પાણી છાંટી છાંટી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application