રિલાયન્સ ગ્રૂપના અનંત અંબાણી દ્વારકાની પદયાત્રાએ નીકળ્યા તેનો આજે સાતમો દિવસ હતો. એક યુવતી અનંત અંબાણીને મળતા તેમની આંખોમાંથી દડદડ આંસુ સરી પડ્યા હતા. આ સમયે ભાવુક દૃશ્યો સર્જાયા હતા. જ્યારે એક યુવક મારવાડી ઘોડો લઈ અનંત અંબાણીને મળવા પહોંચ્યો હતો. મારવાડી ઘોડો જોતા જ અનંત અંબાણી રાજી રાજી થઈ ગયા હતા અને ઘોડાના વખાણ કર્યા હતા.
આજે રાત્રે ત્રણ વાગ્યે અનંત અંબાણીએ ગુરગઢ નજીકના લીમડી ગામ પાસેથી યાત્રા શરૂ કરીને સવારે 8 વાગ્યે મહાદેવડિયા ગામ નજીક પહોંચ્યા હતા. સાત દિવસમાં અનંત અંબાણીએ 71 કિં.મી. જેટલું અંતર કાપ્યું છે.
ભલે તમ તમારે એક દિવસ વનતારા આવજો
રસ્તા ઉપર ઓમ હોટલ નજીક અનંતને મળવા આવેલી ઉષા નામની એક યુવતી રડી પડી હતી. ત્યારે અનંતે પ્રેમથી એની સાથે વાતચીત કરીને સાથે ફોટો પડાવ્યો હતો. ઉષાએ જણાવ્યું હતું કે, અનંત સાહેબને મળી તો મને હરખનાં આંસુ આવી ગયાં હતાં. મેં એમને ફોટો ગિફ્ટમાં આપ્યો છે. મેં અનંતસરને કહ્યું કે, મારે વનતારા જોવા આવવું છે. તો અનંત સાહેબે કીધું કે, ભલે તમ તમારે એક દિવસ વનતારા આવજો.
ઘોડા સાથે યુવક અનંત અંબાણીને મળવા આવ્યો
જામખંભાળિયાથી અર્જુનસિંહ જાડેજા નામનો યુવક મારવાડી બ્રિડનો ઘોડો લઇને અનંત અંબાણીને મળવા આવ્યો હતો. જે અનંત અંબાણીને મળ્યો તો અનંત અંબાણીએ ઘોડાનું નામ પૂછ્યું હતું અને સાથે ફોટો પડાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech