પોરબંદર ની માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રષ્ટ સંચાલિત શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતરમાં અંગ્રેસર પોરબંદરની ડો. વી. આર ગોઢાણીયા મહિલા હોસ્ટેલ ખાતે તાજેતરમાં વિદ્યાર્થીનીઓના પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું
છાત્રાલયના પ્રાર્થના હોલ ખાતે સરસ્વતી માતાજીને પુષ્પમાળા સાથે દીપ પ્રજ્વલિત સાથે આરતી કરીને ગોઢાણીયા મહિલા હોસ્ટરેલના એડમિનિસ્ટર કિરણ બેન ખૂંટીએ દીકરીઓના શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતરની પ્રવૃત્તિની પરેખા સાથે સૌને આવકારી છાત્રાલય પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે મહિલા હોસ્ટેલના માર્ગ દર્શક દાતા જયશ્રી બેન વિરમભાઈ ગોઢાણીયા એ જણાવ્યું હતું કે, ‘છાત્રાલય માં જ્યા દીકરીઓનું વિદ્યાભ્યાસ સાથે ઉત્તમ જીવન શૈલીની તાલીમ મળે છે ફક્ત ભણવું એજ પર્યાપ્ત નથી સાથોસાથ નિયમિમતા, સમૂહ જીવન,સ્વાવલંબન, સહકાર, સાદો અને પૌસ્ટક ખોરાક, સાથે જીવન ઘડતર થવાંથી ભાવિ પડકારોનો સામનો કરવાનું નૈતિક બળ છાત્રો ને પ્રાપ્ત થાય છે.
આ પ્રસંગે ટ્રષ્ટ ના પ્રમુખ, જાણીતા દાતા અને વિદ્યા પ્રેમી ડો વિરમભાઈ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે, ‘છાત્રાલય એ ચોવીસ કલાકની શાળા છે. છાત્રાલય એ દીકરીઓના જીવન ઘડતરની ઉત્તમ શાળા છે, શાળામાં જે સ્થાન આચાર્ય, કુટુંબમાં વડીલનું છે તેવું સ્થાન છાત્રાલયમાં ગૃહમાતાનું છે તેના માધ્યમ થકી સમૂહજીવન ના પાઠો શીખવાથી સંયુક્ત પરિવારની ભાવના બળવત્તર બને છે આ થી આજેપણ આપણે પ્રાચીન ગુકુળને યાદ કરીએ છીએ સૌ ક્ધયા ઓ ને આવકારી અભિનંદન સાથે શુભેચ્છઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગોઢાણીયા બી. એડ. કોલેજના ડાયરેક્ટર અને કેળવણીકાર ડો ઈશ્ર્વરભાઈ ભરડાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી એ વિદ્યાના ઉપાસક છે શ્રીમદ્દ ભગવદ્ ગીતાના અધ્યાય ૧૬/૧ માં જણાવ્યા અનુસાર સ્વાધ્યાયમાં પ્રમાદ કે આળસ કરવી નહિ સ્વાધ્યાય એટલે કે સ્વ- અધ્યયન કરવું એ માટે શિક્ષણવિદો એ છાત્રવાસી શિક્ષણ ઉત્તમ ગણાવ્યું છે કારણકે છાત્રાલયમાં અભ્યાસ કરી ચૂકેલા અન્ય માટે પ્રેરણા શ્રોત બને છે.
છાત્રાલયમાં પ્રવેશ પામેલ દીકરીઓને કપાળમાં તિલક કરી મો મીઠુ કરાવી મહાનુભાવોએ પ્રવેશ કરાવ્યો હતો છાત્રાલય પ્રવેશોત્સવ ના અવસરે ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો કેતનભાઈ શાહ, યોગા કોલેજના કોર્ડીનેટર જીવા ભાઈ ખૂંટી, ટ્રષ્ટ ના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી, ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલ ના આચાર્ય શ્ર્વેતા બેન રાવલ, ઈંગ્લીસ મીડીયમ સ્કુલ ના પ્રિન્સિપાલ ભાવના બેન અટારા, ગુજરાતી માધ્યમ સ્કુલના પ્રિન્સિપાલ પૂજાબેન મોઢા, ગુજરાત પ્રિ. પ્રાયમરી સ્કુલ ના આચાર્ય અનિતા બેન પંડ્યા, સહીતના સારસ્વતો એ નવા પ્રવેશ પામેલ છાત્રોને આવકારી અભિનંદન સાથે શુભેચ્છઓ પાઠવી હતી
આ વિદ્યાર્થી લક્ષી કાર્યક્રમને આવકારી ટ્રષ્ટના મેનેજીંગ ટ્રષ્ટિ અર્જુનભાઈ મોઢવાડીયા, ટ્રષ્ટી , ભરત ભાઈ ઓડેદરા, શાન્તાબેન ઓડેદરા, ભરત ભાઈ વિસાણા સહિતના ટ્રષ્ટ ગણે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ અવસરે હોસ્ટેલ ના એડમિનિટ્રેટર કિરણબેન ખૂંટીના માર્ગદર્શન હેઠળ ગૃહમાતા વાલી બેન, જયશ્રી બેન, તેજલ બેન, વિધિબેન જેઠી બેન હોસ્ટેલ સ્ટાફ પરિવારે સારી જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસીઝફાયર નહિ, કાંઇક મોટું થવાનું છે: ટ્રમ્પના નિવેદને દુનિયાનું ટેન્શન વધાર્યું
June 17, 2025 04:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech