શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીનગર-2 માં આવેલા મકાનમાં આજરોજ બપોરના આગની ઘટના બની હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે અહીં પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. અહીં મકાનમાં ભાડુઆત રહેતો હોય ફ્રિજમાં કમ્પ્રેસર ફાટવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી
આગના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીનગર-2 જલારામ સોડા વાળી શેરીમાં આવેલા મકાનમાં આગ લાગી હોવા અંગે હિરેનભાઈ કેસરિયા નામના વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડનું સ્ટાફ તાકીદે અહીં પહોંચ્યો હતો. અહીં મકાનમાં ફ્રીજ,કબાટ તથા અન્ય ઘરવખરીમાં આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું. ફાયર બ્રિગેડના સ્ટાફે અંદાજિત અડધો કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.
નુકસાનીનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, હિરેન જીતેન્દ્રભાઈ કેસરિયા નામનો વ્યક્તિ અહીં ભાડાના મકાનમાં રહેતો હોય ઘરમાં રહેલ ફ્રિજમાં કમ્પ્રેસર ફાટવાથી આગ લાગી હોવાનું માલુમ પડ્યું છે. આગની આ ઘટનામાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. નુકસાનીનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech