કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણની કામગીરી અને પડતર અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા કલેકટરનું સુચન
જામનગર તા.૧૬ એપ્રિલ, જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મહેસુલી અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જમીન શાખા, અપીલ શાખા,યુ.એલ.સી.શાખા,મહેકમ શાખા,ઈ-ધરા શાખા,વહિવટ શાખા,રજીસ્ટ્રી શાખાની કામગીરી અને પડતર કેસો તથા અને પુરવઠા કચેરીની કામગીરી વિષે ચર્ચા કરી કલેકટરએ લગત અધિકારીઓ દ્વારા થઇ રહેલી કામગીરીની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ જેમાં સરકારી વિભાગોને જમીન ફાળવણીના કેસોની વિગતો, જમીન માપણી, લેન્ડ ગ્રેબિંગની અરજીઓ અને તેને લઈને થઇ રહેલી કામગીરીની વિગતો, જે તે વિભાગોની જમીન માંગણી અંગેના પ્રકરણો, તકેદારી આયોગના બાકી રેફરન્સના કેસો, મામલતદારઓની કામગીરી અંગેની વિગતો, સરકારી જમીનની ચકાસણી, સરકારી લ્હેણાની વસુલાતની સમીક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટરએ પડતર અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ આવે સકારાત્મક દિશામાં આયોજનબદ્ધ કામગીરી કરવા મહેસુલી અધિકારીઓને જણાવ્યું હતું. તેમજ જે તે કચેરીઓને રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવા સુચન આપ્યું હતું. તથા કર્મચારીઓ દ્વારા કરાતી કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકન થાય તેના પર ધ્યાન આપવા જણાવ્યું હતું. અને રેશનકાર્ડ EKYCની પ્રક્રિયા વેગવંતી બનાવવા કલેકટરએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech