જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના તરસાઈ ગામમાં રહેતા એક આધેડે પોતાની માનસિક બીમારીના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે જામજોધપુર પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં નવાપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ ઉર્ફે જગો કાનજીભાઈ કુડેચા નામના ૫૦ વર્ષના આધેડે તરસાઈ ગામના રેલ્વે સ્ટેશન નજીક રેલવેના પાટા ઉપર ટ્રેન હેઠળ પડતું મૂકી દઇ આત્મહત્યા કરી લીધી છે.
ધસમસતી ટ્રેનના એન્જિન હેઠળ કપાઈ જવાથી તેનું બનાવ ના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતક ના સંબંધી સંજય ભરતભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક કેજે છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. જે બીમારીથી તંગ આવી જઇ આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નવ જેટલી બેંચની સુવિધા થઈ ઉપલબ્ધ
May 03, 2025 02:57 PMપીઓકેમાં ૧૦૦૦ મદરેસા બંધ: બાળકોને અપાઈ રહી છે તબીબી સારવારની તાલીમ
May 03, 2025 02:54 PMકોમી હિંસા બાદ ચર્ચામાં રહેલા સંભલના સીઓ અનુજ ચૌધરીની કરાઈ બદલી
May 03, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech