જયુબિલી માર્કેટના બકાલીઓનું ટોળું મનપામાં ધસી આવ્યું
જયુબિલી માર્કેટના બકાલીઓનું ટોળું મનપામાં ધસી આવ્યું
May 15, 2026 10:03 AM
રાજકોટ મહાપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રાજકોટની સૌથી જૂની એવી જયુબિલી શાક માર્કેટનું રિનોવેશન કરવા બજેટરી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર હોય તે પૂર્વે માર્કેટ ખાલી કરવા ધડાધડ નોટિસો ફટકારવાનું શરૂ થતા આજે બપોરે બકાલીઓનું ટોળું મહાપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું અને આક્રોશભેર ઉગ્ર રજૂઆત કરી હતી.વિશેષમાં મ્યુનિ.સૂત્રોના જણાવ્યા મુજબ ૩૦૦થી વધુ થડા ધારકોએ તેમણે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા પણ માંગ કરી હતી, એકાદ વર્ષ સુધી રિનોવેશન ચાલે ત્યાં સુધી ગ્રાહકો અન્યત્ર જતા રહે તેથી તેમની રોજી રોટી છીનવાઈ જશે તેવી ભીતિ વ્યક્ત કરી આવેદન પાઠવ્યું હતું