શાપરમાં ઘર પાસે રમતા સાત વર્ષના બાળકને કુતરાના ટોળાએ ફાડી ખાતા લોહી લુહાણ હાલતમાં કરુણ મોત નિપજતા શ્રમિક પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો છે. આવા ગંભીર બનાવો અવાર નવાર બનતા હોવા છતાં તંત્ર દ્વારા પગલાં ન લેવામાં આવતા માસુમ ભૂલકાઓ મોતને ભેટી રહ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ બિહારના પટનાના વતની અને હાલ શાપરમાં આનંદગેટ નજીક રહેતા અજિતકુમાર યાદવનો સાત વર્ષનો પુત્ર આયુષ ગઈકાલે ઘર બહાર રમતો હતો ત્યારે ચારથી પાંચ કૂતરાઓનું ટોળું આવી આયુષ ઉપર હુમલો કરતા માથાથી પગ સુધી બચકા ભરતા બાળક ચીસો પાડવા લાગતા તેની માતા સહિતના દોડી આવ્યા હતા અને કુતરાઓના મોઢામાંથી બાળકને છોડાવી લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડે પહેલા જ બાળકએ દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મ્રુતક બાળક બે ભાઇમાં નાનો હતો અને પિતા અશોકકુમાર કારખાનામાં કામ કરે છે. પિતા વતન જતા હોય ત્યારે પુત્રના મોતના સમાચાર સાંભળતા રસ્તામાંથી પરત ફર્યા હતા. માસુમ પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેજરીવાલ રાજકોટમાં: વિજય ભાઇ રૂપાણીની પ્રાર્થના સભામાં હાજરી આપશે
June 17, 2025 02:57 PMભારત પાસે પાકિસ્તાન કરતા વધુ પરમાણુ શસ્ત્રો: રશિયા પાસે સૌથી વધુ
June 17, 2025 02:48 PMખોટા દસ્તાવેજો બનાવવા તેમજ દાના ગુનાનો આરોપી આઠ માસે ઝડપાયો
June 17, 2025 02:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech