ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટા હવે નથી રહ્યા. 86 વર્ષની વયે તેમનું અવસાન થયું. રતન ટાટાએ બુધવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને થોડા દિવસ પહેલા ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે અહીં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે રાત્રે જ તેમના પાર્થિવ દેહને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આટ્ર્સ હોલમાં રાખવામાં આવ્યો છે.આજે સવારે 10 થી બપોરે 3.30 વાગ્યા સુધી લોકો અહીં તેમના અંતિમ દર્શન કરી શકશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે રતન ટાટાને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.
રતન ટાટાના પાર્થિવ દેહને ત્રિરંગામાં લપેટીને એનસીપીએ મેદાનમાં લાવવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના દક્ષિણ ઝોનના એડિશનલ કમિશનર અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે તેમના પાર્થિવ દેહને સવારે 10 થી બપોરે 3:30 વાગ્યા સુધી દર્શન માટે એનસીપીએ ખાતે રાખવામાં આવશે. દર્શન માટે આવનાર તમામ લોકોને અપીલ છે કે જો ત્યાં પાર્કિંગની સુવિધા ન હોય તો તેઓએ પોલીસની સૂચનાનું પાલન કરવું પડશે અને આવતા પહેલા તેમની પાર્કિંગની વ્યવસ્થા તપાસવી પડશે. પોલીસનો સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
એનસીપીએ લોનમાં જ્યાં રતન ટાટાના પાર્થિવ દેહને રાખવામાં આવ્યા છે ત્યાં તમામ ધર્મોની પ્રાર્થનાઓ યોજાઈ રહી છે. શીખ સમુદાય વતી પ્રાર્થના કરવામાં આવી રહી છે. શીખ ધર્મગુરુઓ પ્રાર્થના કરી રહ્યા છે. હિન્દુ ધર્મગુરુઓ, મુસ્લિમ ધર્મગુરુઓ પણ હાજર છે. દરેક ધર્મના ગુરુઓ એક પછી એક શાંતિ પ્રાર્થના કરી રહ્યા છે.
રતન ટાટાના પાર્થિવ દેહને વરલીના પારસી સ્મશાનભૂમિમાં લાવવામાં આવશે. સૌ પ્રથમ મૃતદેહને પ્રાર્થના મંડપમાં રાખવામાં આવશે. 45 મિનિટની પ્રાર્થના બાદ મૃતદેહને ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં મૂકવામાં આવશે અને અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહું પણુ મટે તેનું નામ જ મુક્તિ - મોરારીબાપુ
May 03, 2025 03:40 PMતળાજા-મહુવા રોડ પર બોરડા ગામ નજીક ખાનગી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત
May 03, 2025 03:37 PMઅજમેરની હોટલમાં લાગેલી આગની જ્વાળામાં આવ્યું ભાવનગરનું દંપતિ
May 03, 2025 03:24 PMખાડીના પાણીમાં અકસ્માતે પડી જતા માચ્છીમારનું નિપજ્યુ મોત
May 03, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech