ગોંડલની નાનીબજારમાં ધારશી પારેખની શેરીની સામે અતિ જર્જરિત થઇ ગયેલા અને બધં હાલતમાં રહેલુ જુનવાણી મકાન કોઇ દુર્ઘટના સર્જે તે પહેલા તોડી પાડવા લતાવાસીઓ દ્રારા નગરપાલિકાના ચિફ ઓફિસરને રજુઆત કરી હતી પરંતુ વારંવાર રજૂઆત છતા કોઇ પગલા લેવાતા ના હોય ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ હતી જે બાદ આખરે નગરપાલિકા દ્રારા એ જર્જરિત મકાનને તોડી પડાયું હતું.
ટ્રાફિકથી સતત ધમધમતી નાનીબજારમાં ધારશી પારેખની શેરી સામે અંદાજે ત્રીસ વર્ષથી બધં હાલતમાં રહેલું જુનવાણી મકાન જર્જરીત હોય ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી દહેશત હતી જો રાહદારીઓ કે સામે આવેલી દુકાનો પર આ મકાનનો મલબો પડેતો જાનહાની સાથે દુર્ઘટના સર્જાય તેવી સંભાવના રહેતી હતી.
નાનીબજાર તેના નામ મુજબ સાંકડી છે વેપાર વાણિયની મુખ્ય બજાર ગણાય છે સ્વાભાવિક રીતે લોકોની અવરજવર સાથે સવારથી લઇ રાત સુધી ધમધમતી હોય છે ત્યારે નાનીબજારની વચ્ચોવચ આ પડુ પડુ થઇ રહેલું જર્જરીત મકાન આવેલુ હતું સામાન્ય વાવાઝોડુ કે ભુકપં સામે આ મકાન ઝીંક જીલી શકે તેમ ન હતું મકાન ગમે ત્યારે જમીનદોસ્ત બને તેવી હાલત વચ્ચે લોકોનાં જીવ પડીકે બંધાય રહેતા હતા જેથી ધારશી પારેખની શેરીનાં લતાવાસીઓએ નગરપાલિકામાં વર્ષ ૨૦૨૩થી અવારનવાર રજુઆતો કરી રહ્યા હતા પરંતુ તત્રં એ નોટિસ આપીને સંતોષ માન્યો હતો ઉગ્ર રજૂઆત બાદ આખરે તંત્રની મોડે મોડે આખં ખુલતા કામગીરી કરવામાં આવી હતી.
નગરપાલિકા દ્રારા જર્જરિત મકાન તોડતા સમયે આસપાસની દુકાનો બધં કરાવી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન નગરપાલિકા ચીફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ, ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી, સેનિટેશન ઇન્સપેકટર કેતનભાઈ મકવાણા નગરપાલિકા સદસ્ય સહિતના સ્થળે હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech