આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે રહી મજુરી કામ કરતા મુળ ગઢ ગામનો વતની યુવાન ગત રાત્રીના બાઈક લઈ પોતાના વતન છોટા ઉદેપુર જવા માટે નિકળ્યો હતો ત્યારે રંઘોળા નજીક કારના ચાલકે બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જતા તેને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું.તાવી જેતપુર તાલુકાના ગઢ (ભીખાપુરા)ના વતની નરપતભાઈ ભવાનસિંહ રાઠવા ગઈકાલે રાત્રીના રંઘોળા ગામેથી તેના વતન છોટા ઉદેપુર બાઈક લઈ જવા માટે નિકળ્યા હતા તે વેળાએ રંઘોળા ગામે વલભીપુર હાઈવે પર બજરંગદાસ બાપાની મઢુલી પાસે પહોંચતા કાર નંબર જીજે. ૧૮. એએચ-૫૨૪૭ના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અને બેફિકરાઈ પુર્વક ચલાવી બાઈકને અડફેટે લઈ નરપતભાઈને ગંભીર ઈજા પહોંચાડતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ઉમરાળા ખસેડાતા ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. અકસ્માતની જાણ થતા ઉમરાળા પોલીસે દોડી જઈ બનાવ અંગે મૃતક નરપતભાઈના પિતા ભવાનસિંહ સાઈબાભાઈ રાઠોડે કાર નંબર જીજે. ૧૮. એએચ-પ૨૪૭ના ચાલક વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા બીએનએસ એક્ટ ૨૮૧, ૧૦૬(૧), મોટર વાહન અધિનિયમ ૧૭૭, ૧૮૪, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
રાજકોટ: જુનિયર તબીબને ફડાકા મારનાર ડૉ.અશ્વિન રામાણીની પંચમહાલ ખાતે તાત્કાલિક બદલી
જામનગર : નારી વંદન સપ્તાહ અંતર્ગત કાલાવડ કન્યા શાળા ખાતે 'બેટી બચાઓ બેટી પઢાઓ' દિવસની ઉજવણી કરાઈ
નાણાં રાજ્ય મંત્રી કમલેશ પટેલે જામનગર ખાતે નિર્માણાધીન પોલીસ અધિક્ષકની કચેરી અને મહિલા પોલીસ સ્ટેશનની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
રાજકોટમાં ભક્તિનગર પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ, કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી
રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનો એલએચબી રેકથી દોડશે, મુસાફરોને વધુ સુરક્ષા અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech