આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે રહી મજુરી કામ કરતા મુળ ગઢ ગામનો વતની યુવાન ગત રાત્રીના બાઈક લઈ પોતાના વતન છોટા ઉદેપુર જવા માટે નિકળ્યો હતો ત્યારે રંઘોળા નજીક કારના ચાલકે બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જતા તેને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું.તાવી જેતપુર તાલુકાના ગઢ (ભીખાપુરા)ના વતની નરપતભાઈ ભવાનસિંહ રાઠવા ગઈકાલે રાત્રીના રંઘોળા ગામેથી તેના વતન છોટા ઉદેપુર બાઈક લઈ જવા માટે નિકળ્યા હતા તે વેળાએ રંઘોળા ગામે વલભીપુર હાઈવે પર બજરંગદાસ બાપાની મઢુલી પાસે પહોંચતા કાર નંબર જીજે. ૧૮. એએચ-૫૨૪૭ના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અને બેફિકરાઈ પુર્વક ચલાવી બાઈકને અડફેટે લઈ નરપતભાઈને ગંભીર ઈજા પહોંચાડતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ઉમરાળા ખસેડાતા ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. અકસ્માતની જાણ થતા ઉમરાળા પોલીસે દોડી જઈ બનાવ અંગે મૃતક નરપતભાઈના પિતા ભવાનસિંહ સાઈબાભાઈ રાઠોડે કાર નંબર જીજે. ૧૮. એએચ-પ૨૪૭ના ચાલક વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા બીએનએસ એક્ટ ૨૮૧, ૧૦૬(૧), મોટર વાહન અધિનિયમ ૧૭૭, ૧૮૪, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
રાજકોટ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકોઃ ઇન્દ્રનીલ રાજ્યગુરૂની રાજકીય ક્ષેત્રમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ
સુરત સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા, બંનેએ ચેટજીપીટીમાં સર્ચ કર્યું હતું 'હાઉ ટુ કમિટ સ્યુસાઇડ'
વાદળ ફાટતા નહીં મોટો આઇસબર્ગ તૂટતા ધરાલીમાં વિનાશ વેરાયો હતોઃ વૈજ્ઞાનિકોના સંશોધનમાં ખુલાસો
એડવોકેટ બર્ગિસ દેસાઈને રાષ્ટ્રીય લઘુમતી આયોગના સભ્ય તરીકે નિયુક્ત કરાયા
પાકિસ્તાન ફરી બોમ્બ બ્લાસ્ટખી ધણધણી ઉઠ્યું, આર્મી ચેકપોસ્ટ પર આત્મઘાતી હુમલોઃ 18 લોકોના મોત
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech