મહુવાના વર્કશોપમાં દુર્ઘટના સર્જાતા કોળિયાકના યુવાનનું મોત

  • May 22, 2025 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 ભાવનગર જિલ્લાના મહુવા એસટીવર્કશોપ માં ફરજ બજાવતા નરેશભાઈ બાલુભાઈ સોંલકી(ઉ. વ. ૩૦, રે. કોળિયાક, જિ. ભાવનગર) રૂટ પરથી આવેલી બસ વર્કશોપ માં રિપેરિંગ માટે આવી હતી.  બસને જેક લગાવીને નીચેના ભાગે  રીપેરીંગ કરી રહ્યા હતા. ત્યારે અચાનક હાઇડ્રોલિક જેક છટકી જતાં નરેશભાઈ  બસની નીચે દબાયા હતા. બસ નીચે દબાયેલા  નરેશભાઈ ને તાત્કાલિક ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં  ફરજ પરના તબીબે  મૃત જાહેર કર્યા હતા.
ઘટનાના પગલે દોડી ગયેલી પોલીસે   મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી હાલ અકસ્માતે મોતની નોંધ કરી વર્કશોપના સીસીટીવી ફૂટેજ ચકાસવા તેમજ  વર્કશોપના બીજા કામદારોના નિવેદનો પણ લીધા હતા. 
મૃતક નરેશભાઈ સોંલકી બે વર્ષ પૂર્વે જ મહુવા એસટી વર્કશોપમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાના પગલે નરેશભાઈના પરિવારજનોમાં શોક છવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News