BREAKING NEWS

રાજકોટ મનપાની તમામ ઓફિસોમાં શુક્રવારે આધાર કાર્ડની કામગીરી બંધ રહેશે

  • February 03, 2026 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મનપાની તમામ ઓફિસોમાં તા.૬ને શુક્રવારે આધાર કાર્ડની તમામ કામગીરી બંધ રહેશે. વિશેષમાં રાજકોટ મહાપાલિકાના આધાર વિભાગના મેનેજરએ જણાવ્યું હતું કે, મુખ્ય કચેરી, ઝોન કચેરી તેમજ તમામ વોર્ડની ઓફિસના આધાર કેન્દ્રોના ઓપરેટરો તેમજ સુપરવાઈઝરોને યુનિવર્સલ ક્લાયન્ટ ફોર માસ્ટર ટ્રેઇનર્સ બાય યુ.આઇ.ડી.એ.આઇ. વિષય અંતર્ગત આગામી તા.૬.૨.૨૦૨૬ને શુક્રવારના રોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે તાલિમ આપવામાં આવનાર હોય તમામ આધાર ઓપરેટર તેમજ સુપરવાઈઝરોને તાલીમ માટે જવાનું હોવાથી તમામ આધાર કેન્દ્રો તા.૬ ફેબ્રુઆરી શુક્રવારના રોજ બંધ રહેશે જેથી જાહેર જનતાને આ દિવસે આધાર કેન્દ્રની મુલાકાત નહીં લેવા અનુરોધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application