રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે આજે નૂતન વર્ષ ને લઈને ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1500થી વધુ વાનગીઓ ભોગ ભગવાનને ધરવામાં આવ્યો છે.
રાજકોટ BAPS સ્વામીનારાયણ મંદિરના અપૂર્વમુનિ સ્વામીએ વાત કરતા જણાવ્યું હતું કે, આજે તારીખ 22/10/2025ના રોજ નવા વર્ષ એટલે કે વિક્રમ સવંત 2082ના મંગલ પ્રારંભે ભવ્ય મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાકાહારીના સંદેશ સાથે 1500જેટલી અવનવી વાનગીઓનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવી . આ માટે છેલ્લા એક મહિનાથી 4000 જેટલા કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે અને અનેક ભાત ભાતની વાનગીઓ બનાવી રહ્યા છે. ભવ્ય અન્નકૂટ ઉત્સવ આજે સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધી યોજાશે. જેના દર્શન માટે ભગવાનને જમાડવા માટે સૌ રાજકોટની જનતાને ભાવ ભર્યું આમંત્રણ છે.