અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ લંડન જઈ રહી હતી અને ટેક ઓફ થયાની થોડી મિનિટોમાં જ ક્રેશ થઈ. આ દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 મુસાફરોના મોત થયા છે. જોકે, એક મુસાફર દીવનો વિશ્વાસ કુમાર ચમત્કારિક રીતે બચી ગયો હતો. જ્યારે તેનો ભાઈ અજયનું મોત થયું હતું. આજે તેનો મૃતદેહ દીવ પહોંચ્યો હતો અને અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ સમયે વિશ્વાસે હૈયાફાટ રૂદન કર્યું હતું અને બોલી રહ્યો હતો કે, હવે મારે ઘરે જઈને શું કરવું, મને કેમ જીવાડ્યો. ભાઈ ભાઈ કરીને વિશ્વાસ બૂમો પાડીને આક્રંદ સાથે રડવા લાગે છે. પરિવારજનો વિશ્વાસને સાંત્વના આપી રહ્યા છે.
વિશ્વાસે ભાઈની અર્થીને કાંધ આપી
અજયની અંતિમયાત્રા દરમિયાન વિશ્વાસે પોતાના ભાઈને કાંધ આપતી વખતે ભાવુક થઈને હૈયાફાટ રુદન કર્યું હતું. તેમનું રુદન જોઈને ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.
અજયની પત્નીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ
પ્લેન દુર્ઘટનામાં બચી ગયેલો વિશ્વાસ ભાઈ અજયની અંતિમવિધિમાં ભાંગી પડ્યો હતો. નનામી ઉંચકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે. વિમાન દુર્ઘટનામાંથી એકમાત્ર બચી ગયેલા વિશ્વાસના ભાઈ અજયનો મૃતદેહ તેમના ઘરે પહોંચતા પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું. મૃતક અજયની પત્નીની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મૃતક અજયની અગાઉ બે દીકરીનાં પણ મોત થયાં હતા
વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર છે અને મૃતક અજયને બે દીકરી હતી, પરંતુ લંડનમાં બીમારીને કારણે બંને દીકરીનાં મૃત્યુ થઇ ચૂક્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech