BREAKING NEWS

અમિત કુમાર નથી ઈચ્છતા કે કિશોર દાની બાયોપિક બને

  • July 17, 2026 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય સિનેમામાં કિશોર કુમાર માત્ર એક લિજેન્ડરી સિંગર (ગાયક) જ નહોતા, પરંતુ એક ઉત્કૃષ્ટ અને અદ્ભુત અભિનેતા પણ હતા. તેમનો અવાજ, અભિનય અને મસ્તીભર્યો અંદાજ આજે પણ દરેક ઉંમરના લોકોના દિલમાં વસેલો છે. આજ કારણ છે કે છેલ્લા લાંબા સમયથી તેમના જીવન પર એક શાનદાર બાયોપિક ફિલ્મ બનાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. ચાહકો પણ મોટા પડદા પર તેમના જીવનની વાર્તા જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે આ સમગ્ર મામલે તેમના દીકરા અમિત કુમારનું એક નવું નિવેદન સામે આવ્યું છે.ડિરેક્ટર અનુરાગ બાસુ ઘણા સમયથી કિશોર કુમારની બાયોપિક બનાવવાનું આયોજન કરી રહ્યા છે. પહેલા એવા અહેવાલો હતા કે પડદા પર કિશોર કુમારની મુખ્ય ભૂમિકા રણબીર કપૂર ભજવશે. જોકે, પોતાની આગામી ફિલ્મ 'રામાયણ' માં વ્યસ્ત હોવાને કારણે રણબીરે આ પ્રોજેક્ટમાંથી પોતાના હાથ પાછા ખેંચી લીધા હતા. આ વાતની જાણકારી ખુદ ડિરેક્ટર અનુરાગ બાસુએ આપી હતી. હવે કિશોર કુમારના દીકરા અમિત કુમારે એક એવું નિવેદન આપ્યું છે, જેને દરેકને હેરાન કરી દીધા છે અને બધા જાણવા માંગે છે કે આવું કેમ?. તાજેતરના ઇન્ટરવ્યુમાં અમિત કુમારે પોતાના અને પોતાના પિતાના જીવન સાથે જોડાયેલી ઘણી જૂની યાદો શેર કરી હતી. જ્યારે તેમને કિશોર કુમારની બાયોપિક વિશે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે સ્પષ્ટપણે ના પાડી દીધી. અમિતે જણાવ્યું કે તેમના બાળકો તેમના દાદા કિશોર કુમારને તેમની જૂની ફિલ્મો દ્વારા જ ઓળખે છે. તેમણે હંમેશાં પોતાના બાળકોને કહ્યું છે કે કિશોર કુમારને માત્ર એક સિંગર તરીકે સાંભળવાને બદલે તેમને એક શાનદાર એક્ટર તરીકે પણ જોવા જોઈએ.ત્યારબાદ વાતચીતમાં અમિત કુમારે કહ્યું, 'તેમની બાયોપિક ક્યારેય ન બને'. તેમની આ વાત સાંભળીને હોસ્ટે તેમને વચ્ચે જ રોકતા પૂછ્યું, 'આખરે કિશોર કુમારની બાયોપિક યોજના સાથે શું થયું?'. આના જવાબમાં અમિતે કહ્યું, 'જો હું મારા દિલની વાત કહું, તો હું ક્યારેય નથી ઈચ્છતો કે મારા પિતાની બાયોપિક ક્યારેય પણ બને'. તેમણે આની પાછળનું મુખ્ય કારણ જણાવતા કહ્યું કે, એક દર્શક તરીકે તેમને લાગે છે કે કોઈ પણ બીજો કલાકાર પડદા પર તેમના પિતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવી શકશે નહીં.અમિત કુમારે પોતાની વાત આગળ વધારતા કહ્યું, 'જો ભવિષ્યમાં ક્યારેય એવું થયું અને તેમની બાયોપિક બની, તો આ ફિલ્મ મેકર્સ (નિર્માતાઓ) માટે એક બહુ મોટી ચેલેન્જ (પડકાર) હશે'. તેમણે કહ્યું કે કિશોર કુમાર જેવી મહાન શખ્સિયતને સંપૂર્ણપણે સમજવી અને તેને પડદા પર રજૂ કરવી અત્યંત મુશ્કેલ કામ છે. ફિલ્મમાં તમારે તેમના જીવનના સારા અને નરસા બંને પાસાઓને પ્રામાણિકતાથી બતાવવા પડશે. જ્યારે હોસ્ટે તેમને પૂછ્યું કે, 'જે લોકો આ ફિલ્મ સાથે જોડાયેલા છે તેમનું શું થશે?', ત્યારે અમિતે કહ્યું, 'હાલમાં એવું કંઈ થઈ રહ્યું નથી, માત્ર વાતો ચાલી રહી છે'તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૨ની બ્લોકબસ્ટર ફિલ્મ 'બર્ફી' ની જબરદસ્ત સફળતા પછીથી જ ડિરેક્ટર અનુરાગ બાસુ અને એક્ટર રણબીર કપૂર સાથે મળીને કિશોર કુમારના જીવન પર ફિલ્મ બનાવવા માંગતા હતા. જોકે, કોઈને કોઈ કારણસર આ ફિલ્મ સતત પાછી ઠેલાતી રહી છે. હવે અમિત કુમારના આ નવા નિવેદન પછી એવું લાગે છે કે ચાહકોએ કિશોર કુમારની વાર્તા મોટા પડદા પર જોવા માટે હજુ લાંબી રાહ જોવી પડી શકે છે અથવા કદાચ આ ફિલ્મ ક્યારેય બની જ ન શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application