જામનગરના રણજીતસાગર રોડ દરેડના પુલ તરીકે ઓળખાતા આ સ્થળે અંધારાના કારણે અકસ્માતો અવાર નવાર સર્જાય છે, ખાસ કરીને કાર ડીવાઇડર પર ચડી જવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે, માટે આ પુલ પર તંત્ર દ્વારા લાઇટની વ્યવસ્થા કરવા આ વિસ્તારના લોકોમાં માંગણી ઉઠી છે.
લાલપુર બાયપાસથી રણજીતસાગર જતા માર્ગ પર દરેડના પુલ તરીકે ઓળખાતરા આ પુલ પર ડીવાઇડર પર છેલ્લા ગણતરીના દિવસો દરમ્યાન અકસ્માતનો ચોથો બનાવ સામે આવ્યો છે, ગઇકાલે રાત્રે વધુ એક કાર ડીવાઇડર પર ચડી ગઇ હતી સદનશીબે જાનહાની ટળી હતી. આ પુલ પર લાઇટો ન હોય અંધારાના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે. મહાનગરપાલીકાના તંત્રએ ડીવાઇડરની ડીઝાઇન અને લાઇટની વ્યવસ્થા કરવી જરૂરી છે.