આર્યસમાજના ૯૭ માં વાર્ષિકોત્સવ, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય ના ૭૭ માં વાર્ષિકોત્સવ પ્રસંગે આયોજન હાથ ધરાયું
જામનગરમાં આર્યસમાજના ૯૭ માં વાર્ષિકોત્સવ અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય ના ૭૭ માં વાર્ષિકોત્સવ પ્રસંગે જામનગર શહેર જીલ્લાની વિદ્યાર્થિનીઓની ત્રિદિવસીય વકતૃત્વ સ્પર્ધાનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું.
આ વકતૃત્વ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગની સ્પર્ધા સ્મૃતિશેષ છગનલાલ રામજીભાઈ મહેતા અને સ્મૃતિશેષ ગંગાબેન છગનલાલ મહેતાની પુણ્ય સ્મૃતિમાં, માધ્યમિક વિભાગની સ્પર્ધા સ્મૃતિશેષ ભાણજીભાઈ સંધરાજભાઈ પટેલ અને સ્મૃતિશેષ રામાણી મહેશભાઈ ભાણજીભાઈ પટેલની પુણ્ય સ્મૃતિમાં અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સ્પર્ધા સ્મૃતિશેષ જયંતિલાલ ગોકલદાસ ઠક્કર અને સ્મૃતિશેષ ઉષાબેન ધીરજલાલ બરછાની પુણ્ય સ્મૃતિમાં યોજવામાં આવી હતી. આ ત્રણેય સ્પર્ધામાં કુલ ૮૮ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધેલ હતો.
આ તકે પ્રાથમિક વિભાગની સ્પર્ધામાં પ્રથમ નંબર કુ.જિલ ભરતકુમાર નાઈ (પીએમ શ્રી લાલપૂર શાળા), દ્વિતિય નંબર કુ. હર્ષાલી રાજેશભાઈ ચૌહાણ (નગર પ્રાથમિક શાળા નંબરઃ ૪૬ જામનગર) , તૃતીય નંબર કુ. દ્રુશાલી અલ્પેશભાઈ સોલંકી (શ્રીમતી પાર્વતીદેવી વિધામંદિર-જામનગર) અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓની આંતરિક સ્પર્ધાના વિજેતા પ્રથમ નંબર કુ. આયુષી પિયુષભાઈ જોશી, દ્વિતિય નંબર કુ. ધાર્મી વિશાલભાઈ સોલંકી, તૃતીય કુ.ખુશી રાજેશભાઈ જોશીએ પ્રાપ્ત કરેલ હતા.
જ્યારે માધ્યમિક વિભાગની સ્પર્ધામાં પ્રથમ નંબર કુ.માહી વિજયભાઈ ચૌહાણ (કાલિંદી ઈંટર્નેશનલ સ્કૂલ-જામનગર), દ્વિતિય નંબરે કુ.યશ્વિ ભાઈલાલભાઈ માળોદીયા (જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય-ધ્રોલ), તૃતીય નંબરે કુ.ખુશી લાલજીભાઈ પરમાર (જી.ડી.શાહ હાઈસ્કુલ-જામનગર) અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓની આંતરિક સ્પર્ધાના વિજેતા પ્રથમ નંબર કુ.વર્ષા કરશનભાઈ વાઘેલા, દ્વિતિય નંબર કુ.ધારા રાજેશભાઈ ચૌહાણ, તૃતીય નંબર કુ. નિયતિ જીગ્નેશગીરી ગોસ્વામીએ પ્રાપ્ત કરેલ હતા.
આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક વિભાગની સ્પર્ધામાં પ્રથમ નંબર કુ. હેતલ સામતભાઈ માટિયા (સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ-જામનગર), દ્વિતિય નંબર કુ. મહેક લાલનકુમાર જાની (સનસાઈન પ્રાઇમરી સ્કૂલ-જામનગર), તૃતીય નંબર કુ. કાજલ વિજયભાઈ વઘેરા (ડી.એચ.કે મુંગરા વિધાલય-ધ્રોલ) અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓની આંતરિક સ્પર્ધાના વિજેતા પ્રથમ નંબર કુ. હેમાલી મનીષભાઈ હરવરા, દ્વિતિય નંબર કુ. હસ્તી પ્રકાશભાઈ લૈયા, તૃતીય નંબર કુ. તસલીમા અસલમભાઈ ઠાસરીયાએ પ્રાપ્ત કરેલ હતા.
આ સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા, જામનગર જીલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ અને આર્યસમાજ-જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ૭૮-જામનગર (ઉતર) વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, શાસનાધિકારીની કચેરી-જામનગરના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ –જામનગરના આચાર્યા બીનાબેન દવે, જી.એસ.મહેતા ગર્લ્સ હાઈસ્કુલના આચાર્યા હીનાબેન તન્ના, ભવન્સ એ.કે.દોશી મહિલા કોલેજના આચાર્યા ચેતનાબેન ભેંસદડીયા, દરેડ તાલીમ ભવન બ્લોક એમઆઇએસ જયશ્રીબેન વાઘેલા, સચાણા કન્યા શાળાના આચાર્યા તૃપ્તિબેન રૂપડીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધામાં સંસ્થા તરફથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને પુરસ્કારો અને શિલ્ડ 78-જામનગર (ઉતર) વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, સંસ્થાના પ્રમુખ દિપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ, કોષાધ્યક્ષ વિનુભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, અંતરંગ સદસ્ય ધીરુભાઈ નાંઢા, હરીશભાઈ મહેતા, તેજભાઈ ઠક્કર આર્ય વિદ્યા-જામનગરના સદસ્યો વિજયભાઈ ચૌહાણ, રામભાઈ બરછા, અંતરંગ નિમંત્રિત સદસ્ય આશાબેન ઠક્કર, સુનિતાબેન ખન્ના તેમજ નિર્ણાયકો ભવન્સ એ.કે.દોશી મહિલા કોલેજ-જામનગરના પ્રાધ્યાપક ક્રિષ્નાબેન ચાંદલિયા, ભવન્સ એ.કે.દોશી મહિલા કોલેજ જામનગરના પ્રાધ્યાપક ડૉ. નઝમાબેન અંસારી, પ્રણામી હાઈસ્કુલ–જામનગરના પૂર્વ આચાર્ય અને નિજાનંદ શિક્ષણ સંસ્થા–જામનગરના એડમિનિસ્ટ્રેટર જે. કે. ગોધાણી, હડીયાણા માધ્યમિક શાળાના આચાર્યા વનિતાબેન ભંડેરી, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરના નિવૃત પી.એ. મીનાબેન પોટા, સચાણા કન્યા શાળાના શિક્ષિકા બહેન કાજલબેન પુરોહિત દ્વારા આપવામાં આવેલ હતું.
આ તકે દરેક સ્પર્ધકને પ્રોત્સાહક પારિતોષીકો દીપકભાઈ ઠક્કર, નરેન્દ્રભાઈ મહેતા, રોકડ પુરસ્કાર સ્મૃતિશેષ મહેશભાઈ ભાણજીભાઈ રામાણી પરિવાર અને પ્રફુલ્લાબેન રૂપડીયા તરફથી આપવામાં આવેલ હતા. સંસ્થા, શાળા અને સ્પર્ધાનો પરિચય શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય-જામનગરના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા તેમજ શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા બહેન અશ્માબેન મુન્દ્રાએ આપેલ હતો. આ કાર્યક્રમમાં આભારદર્શન શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય-જામનગરના પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા બહેન નીપાબેન મકવાણા, ધર્મિષ્ઠાબેન ગોહીલએ કર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આર્યસમાજ - જામનગરના પ્રમુખ દીપકભાઈ જયંતીલાલ ઠક્કર, માનદ્દમંત્રી નરેન્દ્રભાઈ છગનલાલ મહેતા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયાના માર્ગદર્શન હેઠળ અને પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસના માર્ગદર્શન હેઠળ મિન્ટુબેન ચોવટીયા, હેતલબેન દેલવાડીયા, અનીશાબેન નાગર, અશ્માબેન મુન્દ્રા, નયનાબેન આહુજા, કોષાબેન માંકડ, મીતાબેન જાની, રાધિકાબેન માણેક, નીકીતાબેન વારા, સમગ્ર શિક્ષકગણ અને સમગ્ર સેવકો દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech