છેલ્લ ા કેટલાય સમયથી વરસતો અવિરત વરસાદ આજે જગતતાતના મુખે આવેલા કોળીયાને છીનવી લીધો છે.વિસાવદર પંથકના ખેડૂતોની હાલત દયનીય છે.સતાધીશો લીલાલહેર કરે છે સરકારને અતિવૃષ્ટ્રિને કારણે સર્વે કરવાની જર છે ત્યારે સભ્ય નોંધણી માં કોણે કેટલા સભ્યો નોંધ્યા તેના સમાચારોથી વાહવાહી કરવામાં આવે છે.અરે અતિવૃષ્ટ્રિને કારણે થયેલા નુકસાન માટે ખેડૂતોની મદદ કરવા રજૂઆતો કરવામાં આવે છે.
પણ ફકત રજુઆતોથી કાંઈ નહીં વળે પણ સરકારી સહાય કરી ખેડૂતોને વહારે આવી ભાંગી પડેલા જગતતાતને ફરીથી સક્ષમ થાય તેવી સરકાર પાસે પરીણામ લક્ષી કામગીરી કરો.બાકી તો ઓફીસોમાં અધિકારીને બે પાનાનો પત્ર આપી સંતોષ માનતા કે પછી સોશિયલ મીડિયામાં વિડિયો મુકતા બની બેઠેલા અને પોતાની છાપ ખેડુત હિતચિંતક તરીકે ઉપસાવતા નેતાઓ સરકારી સહાય તાત્કાલિક ધોરણે અપાવો તો સાચા અર્થમાં આ ધરતીના પેટાળમાંથી પરસેવાથી ધાન પકવીને અન્નદાતાનુ ણ તમે ચૂકવો છો એમ કહેવાશે બાકી ખોટા સિનસપાટા મારવાને બદલે ખેડુતોને આ કુદરતી આપદા માંથી બહાર કાઢો તો સાચા અથેમા તમે નેતા છો એમ ઓળખાવો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech