તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલ ટુરિઝમ એવોર્ડ્સ- ૨૦૨૫માં ગુજરાતમાં શ્રેષ્ઠ અનોખા પ્રવાસન સ્થળ તરીકે રાજકોટના અટલ સરોવરને બેસ્ટ ટુરિઝમ એવોર્ડ એનાયત કરાયો હતો.
આ એવોર્ડ તેની નવીનતમ પાણી-કેન્દ્રિત ડિઝાઇન, મનોરંજન સુવિધાઓ આધારે આપવામાં આવ્યો હતો. અને આ એવોર્ડ રાજકોટમાં ગુજરાતના પર્યટનની શ્રેષ્ઠતા દર્શાવે છે.અટલ સરોવર ગુજરાતમાં શ્રેષ્ઠ અનોખા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.અટલ સરોવર જેવા નવીન પ્રોજેક્ટ રાજકોટ અને રાજ્યના પ્રવાસન ક્ષેત્ર માટે ગર્વની ક્ષણ સાબિત થઈ છે.