BREAKING NEWS

બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારો પર અત્યાચાર: 5 ઘરોને આગ ચાંપી, દરવાજા બહારથી બંધ કરી જીવતા સળગાવવાનો પ્રયાસ

  • December 29, 2025 10:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ પરિવારો પર હુમલાની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિરોજપુર જિલ્લાના દમ્રિતાલા ગામમાં શનિવારે અજાણ્યા હુમલાખોરોએ પાંચ હિન્દુ ઘરોને આગ ચાંપી દીધી હતી. સૌથી ભયાનક બાબત એ હતી કે હુમલાખોરોએ ઘરના દરવાજા બહારથી બંધ કરી દીધા હતા જેથી અંદર રહેલા લોકો બહાર ન નીકળી શકે.


વાડ કાપીને ૮ લોકોએ જીવ બચાવ્યા
હુમલાખોરોએ અત્યંત ક્રૂર આયોજન સાથે આ કૃત્ય આચર્યું હતું. જ્યારે પરિવારો અંદર હતા ત્યારે દરવાજા બહારથી તાળું મારી દેવામાં આવ્યું હતું. હુમલાખોરોએ એક રૂમમાં કપડાં ભરીને આગ લગાવી, જે ઝડપથી આખા ઘરમાં ફેલાઈ ગઈ. ઘરમાં ફસાયેલા ૮ સભ્યોએ હિંમત દાખવી વાંસ અને ટીનની વાડ કાપીને બહાર નીકળવામાં સફળતા મેળવી હતી. લોકો બચી ગયા પરંતુ તેમના ઘર, કિંમતી સામાન અને પાલતુ પશુઓ બળીને રાખ થઈ ગયા છે.


૫ શંકાસ્પદોની ધરપકડ

સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મામલે અત્યાર સુધીમાં ૫ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. જોકે હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં સ્થાનિક લોકો જાતે જ આગ ઓલવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

૬ મહિનામાં ૭૧ હુમલા
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. 'હ્યુમન રાઇટ્સ કોંગ્રેસ ફોર બાંગ્લાદેશ માઇનોરિટીઝ' (HRCBM) ના અહેવાલ મુજબ ૬ મહિનામાં ૭૧ હુમલા નોંધાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application