ઇરાકના એરબિલ એરપોર્ટ પાસે યુએસ કોન્સ્યુલેટ પાસે અનેક વિસ્ફોટ કરવામાં આવ્યા છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સએ આ વિસ્ફોટોની જવાબદારી લીધી છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સએ કહ્યું કે તે બેલેસ્ટિક મિસાઇલો વડે પ્રદેશના કેટલાક ભાગોમાં જાસૂસી હેડકવાર્ટર અને ઈરાની વિરોધી આતંકવાદી જૂથોને નિશાન બનાવી રહ્યું છે.આઈઆરજીએસ દ્રારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટોમાં ચાર લોકો માર્યા ગયા છે. ઇરાકી સુરક્ષા સૂત્રએ જણાવ્યું હતું કે ગઠબંધન અથવા અમેરિકી સેનામાંથી કોઈ પણ એરબિલમાં બોમ્બ ધડાકામાં માર્યા ગયા નથી.
ઇરાકી સુરક્ષા સૂત્રએ જણાવ્યું હતું કે ગઠબંધન અથવા અમેરિકી દળોમાંથી કોઈ પણ એરબિલમાં બોમ્બ ધડાકામાં માર્યા ગયા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઠબંધન દળોએ ઈરાકના એરબિલ એરપોર્ટ નજીક ત્રણ ડ્રોનને તોડી પાડા હતા. હત્પમલા બાદ એરબિલમાં એર ટ્રાફિક બધં થઈ ગયો છે. રિપોર્ટ અનુસાર બોમ્બ વિસ્ફોટ અત્યતં હિંસક હતો. યુએસ કોન્સ્યુલેટની નજીકના આઠ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ચાર નાગરિકના મોત
ઈરાન ઈઝરાયેલ સાથેના યુદ્ધમાં હમાસને સમર્થન આપે છે અને અમેરિકા પર ગાઝામાં ઈઝરાયેલને સમર્થન આપવાનો આરોપ પણ લગાવે છે. તે જ સમયે, અમેરિકાએ માર્યા ગયેલા પેલેસ્ટિનિયન નાગરિકોની સંખ્યા પર ચિંતા વ્યકત કરી હતી. કુર્દિસ્તાન સરકારની સુરક્ષા પરિષદે એક નિવેદનમાં આ હત્પમલાને અપરાધ ગણાવતા કહ્યું કે અરબીલ પર થયેલા હત્પમલામાં ઓછામાં ઓછા ચાર નાગરિકો માર્યા ગયા અને છ ઘાયલ થયા છે.
દૂતાવાસની નજીકના આઠ સ્થળોને નિશાન બનાવાયા
સૂત્રોના જણાવ્યા અનુસાર ગઠબંધન દળોએ ઈરાકના એરબિલ એરપોર્ટ નજીક ત્રણ ડ્રોનને તોડી પાડા હતા. એરબિલમાં એર ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર બોમ્બ વિસ્ફોટ અત્યતં હિંસક હતો. યુએસ કોન્સ્યુલેટની નજીકના આઠ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઇઝરાયેલ હમાસ યુધ્ધની અસર
બે અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હત્પમલાઓથી અમેરિકન સુવિધાઓને અસર થઈ નથી. ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જૂથ હમાસ વચ્ચે યુદ્ધની શઆત થઈ ત્યારથી તે સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાઈ ગઈ છે. જેમાં ઈરાનના સહયોગી દેશ લેબનોન, સીરિયા, ઈરાક અને યમન વતી પણ યુદ્ધમાં ઉતરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech