આજકાલ બગસરા ડેપો વધુ પડતો ચર્ચામાં આવી ગયો છે ત્યારે હાલમાં છેલ્લ ા ચાર દિવસથી અનેક બસો બધં કરવામાં આવતા મુસાફરો રજળી પડા હતા. યારે જાણવા મળતી માહિતી મુજબ બગસરા ડેપો દ્રારા છેલ્લ ા ચાર દિવસથી લગભગ ૯થી ૧૦ બસો બધં કરવામાં આવી છે. યારે અહીંયાથી ઉપડતી સુપર લોકલ બસ બગસરાથી રાજકોટ જતી વહેલી સવારની તેમજ બપોરની અને બગસરા વીંછિયા અને બગસરાથી અમરેલી, જુનાગઢ તેમજ ખાંભા ધોરાજી તેમજ બગસરા રાજકોટ વાયા જેતપુર અને બગસરા મહત્પવા જેવી અનેક બસો બધં કરવામાં આવતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે.
યારે મુસાફરો હવે પૂછપરછ બારીમાં આ બસ કયારે જશે ના બદલે કઈ બસ ચાલુ છે તેવું પૂછવા મજબૂર બન્યા છે. યારે મળતી માહિતી અનુસાર અહીંના ડેપોના અધિકારી દ્રારા ડ્રાઈવરોને ઋષી પાંચમ નિમિતે ઘણાને રજા મંજુર કરી હોવાથી આ તમામ ટો બધં કરી દેવામાં આવ્યા હતા. જેના હિસાબે મુસાફરોને ખાનગી વાહનનો સહારો લેવો મજબૂર બન્યા હતા. યારે આવા સંજોગોમાં એસટી ડેપોને અધિકારીની બેદરકારીના લીધે ઋષી પાંચમ ફળી હતી. જેમાં શહેરની જનતા ત્રાહિમામ પોકારી ગઈ હતી અને વહેલામાં વહેલી તકે આ તમામ બસો ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech