શહેરના પ્રદ્યુમનનગરના પોલીસમેનો ઉપર હુમલો કરવાના ગુનામાં જેલહવાલે રહેલા કુખ્યાત માજીદ ઉર્ફે માજલો રફિક ભાણુંની જામીન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી છે.
રૂખડિયાપરામાં મહિલાના મકાન ઉપર માજીદ અને તેના સાગ્રીતોએ સોડા-બોટલોના ઘા કર્યાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ મથકના બે કોન્સ્ટેબલ તેને પકડવા જામનગર રોડ પરના સ્લમ કવાર્ટર પાસેના હુડકો કવાર્ટરમાં ગયા હતા. ત્યારે માજીદ અને તેના સાગ્રીતોએ આ બંને કોન્સ્ટેબલો ઉપર હુમલો કરી તેમને ભગાડી દીધા હતા. એટલું જ નહીં તેમના સરકારી બાઈકમાં તોડફોડ કરી, પોલીસને પડકાર ફેંકયો હતો. આ ગુના બાદ ભાગી ગયેલા માજીદને સવા મહિના પછી એસઓજીએ ઝડપી લીધો હતો. ચીફ કોર્ટ દ્વારા જામીન નામંજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કરેલ. બાદ માજીદ ભાણુંએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા પર આવતા માજીદ ભાણુંનાં વકીલ પાર્થરાજસિંહ ઝાલા દ્વારા વિવિધ મુદ્દાઓ જેવા કે પોલીસ ફક્ત માજીદને ટાર્ગેટ કરી કોઈ પણ રીતે ગુનો નોંધી તેના ગુજ્સીટોકનાં જામીન કેન્સલ કરાવવા માટે આ કાર્યવાહી કરતી હોય અને માજીદ એક પણ ગુન્હાની જગ્યાએ હાજર ન હતો. આથી પ્રથમ દર્શનીય કેસ બનતો ન હોય અને હાલના ગુનામાં જામીન પર છોડવા માટે ગુનાહિત ઈતિહાસ ધ્યાને લેવો ન જોઈએ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટનાં વિવિધ ચુકાદાઓ રજૂ કરેલ જે ધ્યાને લેતા સેશન્સ કોર્ટ દ્વારા માજીદ ભાણુંની જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો હતો. આ કામમાં આરોપી વતી અજીતભાઈ પરમાર, હુસેનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીત શાહ, ફેઈઝાન સમા, અંકીતભાઈ ભટ્ટ તથા રહીમ હેરંજા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech