જામનગરવાસીઓના આસ્થાના સાગર વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે 62મો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો.
જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી થયા હતા. દાદાને ભક્તિભાવ સાથે આ પ્રસંગે ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો.
માગશર સુદ પૂનમના દિવસે સાંજે 4:30 વાગ્યે આરતી કરવામાં આવી હતી, આ દરમિયાન વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફળો, લાડુ, ફરસાણ, અડદિયા અને બરફી સહિતની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.
રાત્રે 8:30 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તોને અન્નકૂટનો પ્રસાદ વિતરણ થશે.