પાકિસ્તાનના ક્વેટામાંરેલવે સ્ટેશનની અંદર જોરદાર વિસ્ફોટ થયો છે, જેમાં પાકિસ્તાની સેનાના 14 સૈનિકો સહિત 24 લોકોના મોત થયા છે જ્યારે 4થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ક્વેટાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) મોહમ્મદ બલોચે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી. સ્ટેશન પર ભીડને જોતા મૃત્યુઆંક વધવાની આશંકા છે.
બલૂચ આર્મીએ જવાબદારી લીધી
બલૂચ લિબરેશન આર્મીએ આ વિસ્ફોટની જવાબદારી લીધી છે. બલૂચ લિબરેશન આર્મીના પ્રવક્તાએ કહ્યું, “અમે ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની સેના પર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારીએ છીએ. આજે સવારે, ક્વેટા રેલ્વે સ્ટેશન પર પાકિસ્તાની આર્મી યુનિટ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ ઇન્ફન્ટ્રી સ્કૂલમાંથી કોર્સ પૂરો કરીને જાફર એક્સપ્રેસ દ્વારા પરત ફરી રહ્યા હતા. આ હુમલો BLAના આત્મઘાતી યુનિટ મજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હતો.
અગાઉ, એસએસપી મોહમ્મદ બલોચે કહ્યું હતું કે આ ઘટના "આત્મઘાતી વિસ્ફોટ જેવી લાગે છે, વિસ્ફોટની તપાસ ચાલી રહી છે. અગાઉ, ઈધી રેસ્ક્યુ સર્વિસના વડા ઝીશાને કહ્યું હતું કે વિસ્ફોટ "રેલ્વે સ્ટેશનની અંદરના પ્લેટફોર્મ પર થયો હતો."
ટ્રેન પેશાવર જવા રવાના થવાની હતબલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે એક નિવેદનમાં જણાવ્યું કે પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રિંદે કહ્યું કે વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે અને ઘટનાનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
સરકારી અધિકારીએ કહ્યું કે ત્યાંની હોસ્પિટલોમાં 'ઇમરજન્સી' લાદવામાં આવી છે. તેમણે કહ્યું કે "ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે." ઘટનાના ફૂટેજમાં રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર કાટમાળ દેખાઈ રહ્યો છે જે સમયે પ્લેટફોર્મ પરથી એક ટ્રેન પેશાવર જવા માટે તૈયાર હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech