બાંગ્લાદેશ સરકારે સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ભારતમાં યોજાનાર 2026ના T-20 વર્લ્ડ કપમાં નહીં રમે. બાંગ્લાદેશ ટીમે T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશ સરકારનું કહેવું છે કે ICCએ T20 વર્લ્ડ કપ મેચો ખસેડવાની તેમની માંગણીને નકારી કાઢી છે. સરકારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પર પણ નિશાન સાધ્યું છે.
તાજેતરમાં, બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નજરુલે જણાવ્યું હતું કે બાંગ્લાદેશી ખેલાડીઓ T20 વર્લ્ડ કપમાં રમવા માંગે છે, પરંતુ ટીમ ફક્ત શ્રીલંકામાં જ તેની મેચો રમશે.