મહારાજની મૂર્તિ સાથેના ફલોટ્સનું નગર ભ્રમણ: પસાયાના મહાકાળી મંદિરથી મશાલ યાત્રાનું પણ આયોજન
જામનગર શહેરમાં ગત વર્ષ ની જેમજ આ વખતે પણ શ્રી ગણેશ મરાઠા મંડળ -ચાંદી બજાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, અને ૧૯ મી ફેબ્રુઆરીએ સોમવારનાં સવારે ૭ વાગ્યે મહાકાળી મંદિર, પસાયા થી જામનગર સુધી મશાલ યાત્રા નું આયોજન કરાયું છે. તેમજ સાંજે પ.૦૦ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શોભાયાત્રા યોજાશે. જેમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફ્લોટ્સ તૈયાર કરાશે, તેમજ શિવાજી મહારાજ ની વેશભૂષા સાથે ઘોડેશ્વર બનીને શિવાજી મહારાજ નગર ભ્રમણ કરશે. જામનગરમાં ચાંદી
બજાર વિસ્તારમાં છેલ્લા ૩૦ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આ વખતે બીજી વખત છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની વિશેષ રૂપે
ઉજવણી કરવામાં આવશે. આગામી ૧૯મી ફેબ્રુઆરી ને સોમવારના દિવસે ૩૯૭ મી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે સાંજે પાંચ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શિવાજી મહારાજની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ સાથેનાં ફલોટસ તૈયાર કરવામાં આવશે,
શોભાયાત્રા ચાંદી બજારથી પ્રારંભ થઈ સેન્ટ્રલ બેન્ક રોડ, હવાઈ ચોક, ગોવાળ મસ્જિદ, પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, રણજીત રોડ થઈ ફરી ચાંદી બઝારમાં પરિપૂર્ણ થશે. જેમાં ઉપસ્થિત રહેવા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં એક તરફી પ્રેમીએ યુવતી ઉપર જીવલેણ હુમલો કર્યો
May 03, 2025 10:32 AMઅમેરિકામાં વેચાતા આઇફોન ભારતમાં જ બનાવાશે: ટિમ કૂક
May 03, 2025 10:32 AMટ્રેનના ટોયલેટમાં પાકિસ્તાની ઝંડો ચીતર્યો, 2ની ધરપકડ
May 03, 2025 10:30 AMપેટમાં દુ:ખાવો ઉપડ્યા બાદ રાણ ગામના યુવાનનું સારવાર દરમિયાન મોત
May 03, 2025 10:27 AMમની માર્કેટનો સમય વધારીને સાંજે પાંચને બદલે સાત વાગ્યા સુધી કરવાની વિચારણા
May 03, 2025 10:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech