બેડી ચોકડી પાસે નદીના પટમાં યુવકની લાશ મળી હોવાની જાણ થતા આજીડેમ પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી ઓળખ મેળવી હતી. મૃતદેહ ભગવતીપરાના હિરેન જાદવ હોવાનું ખુલ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે બેડી ચોકડી પાસે નદીના પટમાં યુવકનો મૃતદેહ પડ્યો હોવાનું જોવા મળતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને કોઈએ 108 અને પોલીસને જાણ કરતા 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે આજીડેમ પોલીસ પણ પહોંચી પંચરોજ કામ કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. યુવક પાસેથી મળેલા ડોક્યુમેન્ટમાં તેનું નામ હિરેન સોમાભાઈ જાદવ (ઉ.વ.34) હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોને જાણ થતા હોસ્પિટલ દોડી ગયા ગયા હતા. યુવકને મોઢાનું કેન્સર હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. યુવક આટો મારવા ગયો હોય ત્યારે જ બેભાન થઇ જતા મૃત્યુ થયાનું લાગી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech