સિકકાથી લગ્નપ્રસંગમાં હાજરી આપવા બોટાદ જતા વહેલી સવારે નડયો અકસ્માત : ઇજાગ્રસ્તોને જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા : શહેરની જેમ હાઇવે પર પણ કુતરાઓના કારણે છીનવાઇ રહી છે માનવ જીંદગી
જામનગર શહેરમાં અવાર નવાર કુતરાના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આજે વહેલી સવારે ફલ્લા નજીક કુતં આડુ ઉતરતા બોલેરો કાર પલ્ટી મારી ગઇ હતી અને આ અકસ્માતમાં એક વ્યકિતનું મૃત્યુ નિપજયું છે, જયારે 10 વ્યકિતઓને ઇજા થઇ છે, તમામને જી.જી. હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી રહી છે, સિકકાથી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા બોટાદ જતી વખતે અકસ્માત સર્જાયો છે.
મળતી માહિતી મુજબ સિકકા ગામેથી દલિત પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ચારેક વાગ્યે રવાના થયા હતા અને વહેલી સવારે 5-45 કલાકે ફલ્લા નજીક પહોંચતા બસ સ્ટેશન પાસે જ કુતં આડુ ઉતરવાના કારણે બોલેરો પલ્ટી મારી ગઇ હતી અને ઇજાગ્રસ્તોની ચીસોથી હાઇવે ગુંજી ઉઠયો હતો.
વહેલી સવારનો સમય હોવાથી મદદ મેળવવામાં પણ થોડી વાર લાગી હતી, 108ને જાણ કરાયા બાદ તમામ ઇજાગ્રસ્તોને જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં 60 વર્ષના માલાભાઇ વાલાભાઇ પરમારનું કણ મૃત્યુ નિપજયું હતું.
આ ગોઝારા અકસ્માતમાં ઇજા પામેલા કમભાગીઓમાં નાનજીભાઇ નારણભાઇ ભાંભી (ઉ.વ.55, રે. સરમત), મનોજભાઇ ભીખાભાઇ પરમાર (ઉ.વ.30-સરમત), દિનેશભાઇ પેથાભાઇ પરમાર (ઉ.વ.44-સરમત), ભીખાભાઇ વાલાભાઇ પરમાર, નાથાભાઇ મગાભાઇ પરમાર, મુળજીભાઇ નાથાભાઇ મકવાણા (ઉ.વ.32-વિભાપર), પ્રેમજીભાઇ ગોવિંદભાઇ નકુમ (ઉ.વ.48 રે.સિકકા), રવિભાઇ લખુભાઇ પરમાર (ઉ.વ.24-સિકકા) સહિત કુલ 10નો સમાવેશ છે.
અત્રે નોંધનીય છે કે શુભ પ્રસંગ માટે આ પરિવાર સિકકાથી નિકળ્યો હતો, દિકરીના લગ્ન લખવા માટે બોટાદ જવા નિકળ્યો હતો, ત્યારે આ ગોઝારી ઘટના બની હોવાથી ખુશીના પ્રસંગમાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે, પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરમાં આ પહેલા પણ ઘણી વખત કુતરાના અને ઢોરના કારણે અકસ્માત થવાના અને તેમાં ઇજા પામેલાઓના મૃત્યુ થવાના અનેક બનાવો બન્યા છે, ધોરીમાર્ગ પર પણ હરાયા ઢોર અને કુતરાઓનો ત્રાસ ઘણી વખત અકસ્માત સર્જવા કારણભુત બને છે અને આવી જ એક વધુ ઘટના સર્જાઇ છે, ફલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા અકસ્માતની ઘટના બન્યા બાદ ઘવાયેલાઓને મદદ કરવા માટે માનવતાની દ્રષ્ટીએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech