કરચલીયાપરા વાલ્કેટગેટમાં મકાન ધરાશાયી થયું

  • June 18, 2025 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં બેદિવસ દરમ્યાન પડેલા વરસાદ ના પગલે આજે સવારે વધુ એક મકાન થયું ધરાશાયી થયું હતું. શહેરના કરચલીયાપરા, વાલ્કેટગેટ વિસ્તારના પુરીના ચોકમાં આવેલ લક્ષ્મીબેન મનજીભાઈ ચૌહાણની માલિકીના જર્જરીત મકાન આજે સવારે ધરાશાયી થયાની જાણ થતા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. મકાન ધરાશાયી થવાની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.  ગઈકાલે શહેર શહેરના વડવા વિસ્તાર સહિત  ત્રણ મકાનો ધરાશાયી થયાની ઘટના બની હતી. જ્યારે ચાવડીગેટ પોલીસ ચોકી સામે આવેલ એક મકાન ધરાશાયી થવા પામ્યું મકાન ધરાશાયી થવાના કારણે થોડીવાર માટે થઈ ને રસ્તો બંધ કરાયો હતો. ચાવડીગેટ પોલીસ ચોકી સામે મકાન ધરાશાયી થતા લોકો ના ટોળા એકત્ર થઇ ગયા  હતા. સદ્દનસીબે મકાન ધરાશાયી થતા કોઈ દુર્ઘટના કે જાનહાનિ થઈ ન હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News