રાજકોટના હીરાસર સ્થિત ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સી.આઈ.એસ.એફ.ની પ્રશંશનીય કામગીરી સામે આવી છે. રાજકોટ એરપોર્ટ પરથી એક વિદેશી મુસાફર લંડન જવા માટે રાજકોટ થી મુંબઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેણે હાથમાં પહેરેલી સોનાની રૂ.5 કરોડની કાંડા ઘડિયાળ ગાયબ થઈ ગઈ હતી. આ અંગેની જાણકારી સી.આઈ.એફ.ને મળતા એરપોર્ટ પર તૈનાત સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જ્યાં અન્ય એક મુસાફર પાસે ઘડિયાળ મળી આવતા તેના મૂળ માલિકને પરત આપવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે તાજેતરમાં તારીખ 20 ના રોજ રાજકોટથી મુંબઈ સવારે 8:35 કલાકે ટેક ઓફ થતી ફ્લાઈટમાં જવા માટે મુસાફર રવાના થયા હતા. આ દરમિયાન ભીડના કારણે તેમની મોંઘેરી સોનાની કાંડા ઘડિયાળ ગાયબ થઈ ગઈ હતી. જેથી મુસાફરે એરપોર્ટ પોલીસને જાણ કર્યા બાદ પૂછપરછમાં આ ઘડિયાળ સોનાની અને રૂ.5 કરોડની હોવાનું સામે આવ્યું હતું.
ઇન્સ્પેક્ટર એસ.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ સી.આઈ.એસ.એફ.ની ટીમ, ઇન્ટેલિજન્સ યુનિટ અને સી.સી.ટી.વી સર્વેલન્સ સહિતના સ્ટાફ દ્વારા સઘન શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન અન્ય મુસાફર પાસેથી આ ઘડિયાળ મળી આવી હતી. અને જેમની પાસેથી આ ઘડિયાળ પરત લઈ સી.આઈ.એસ.એફ.ના સ્ટાફ દ્વારા ઘડિયાળ તેના મૂળ માલિક એવા વિદેશી નાગરિકને પરત કરવામાં આવી હતી. જેથી આ વિદેશી નાગરિકે સી.આઈ.એસ.એફ.સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application