જામનગર નજીક અલીયા ગામે બીએસએનએલના લેન્ડલાઇન ફોનના કેબલની ચોરી થઇ હતી જેનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને બે શખ્સને મુદામાલ સાથે દબોચી લીધા હતા.
જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની અને ગ્રામ્ય ડીવાયએસપી મીત રૂદલાલ દ્વારા અનડીટેકટ ગુના શોધી કાઢવા સુચના કરતા પંચકોશી-એ પીઆઇ એમ.એન. શેખના માર્ગદર્શન હેઠળ વાયર ચોરીનો ગુનો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા ત્યારે સ્ટાફના એએસઆઇ નિર્મળસિંહ, કોન્સ. હરદેવસિંહ તથા કમલેશભાઇને સંયુકત બાતમી મળેલ કે અલીયા ગામે થયેલ ચોરીના મુદામાલ સાથે આરોપીઓ બાબતે વોચ રાખીને અલીયા ગામમાં રહેતા કોન્ટ્રાકટર મયુર ભાણા વીરડા અને ભંગારનો ધંધો કરતા અલીયાના સીતારામનગરમાં રહેતા જગદીશ ઉર્ફે જગો જલા રાઠોડ બંનેને પકડી લીધા હતા અને ૩૫ હજારનો કેબલ કોપરનો મુદામાલ કબ્જે કર્યો હતો.