ઓકટોબર માસમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય તે ગામોને સહાય મળી નથી
માત્ર જાહેરાતો કરવામાં પાવરથી સરકાર જાહેરાતોની અમલવારી કરવામાં ઉણી ઉતરતી હોય તેવા આરોપ સાથે યુવા ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ વધુ એક વખત ખેડૂત હિત માટે નગારે ઘા કર્યો છે. ઓક્ટોબર માસમાં થયેલા વરસાદને લઈ સરકાર દ્વારા મૌખિક જાહેરાત કરવામાં આવી હતી કે જે પણ ગામમાં દોઢ ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો તેને ગામ એકમ ગણીને સહાય ચુકવવામાં આવે. માત્ર મૌખિક જાહેરાતથી જ વાહ વાહ લૂંટી લીધા બાદ સરકારે આ અંગે કોઈ સત્તાવાર ઠરાવ કર્યો નથી. હવે જો આ દિશામાં ગુરુવાર સુધીમાં કોઈ નિર્ણય નહીં આવે તો જામજોધપુર લાલપુર સહિત ગુજરાતના જે પણ તાલુકાઓમાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે તે તાલુકા મથકે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન છેડવામાં આવશે તેવી ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ચીમકી ઉચારી છે.
ઓકટોબર માસમાં થયેલ વરસાદના કારણે મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું હતું. કારણ કે આ સમયે મગફળીનો પાક તૈયાર હતો. જોકે નુકસાન બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે 1.5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયેલ હશે. તેવા તમામ ગામોના તમામ ખેડૂતો માટે સહાય જાહેર કરવામાં આવશે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાની મામલે સર્વે પણ કરાયા હતાં જે થઇ ગયાને પણ 45 દિવસ જેટલો સમય થઇ ગયો હોવા છતાં બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવેલ નથી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ મામલે મૌખિક જાહેરાત કરવામાં આવી હતી. જેને લાંબો સમય વીતી ગયા છતાં પણ હજુ આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જોકે તેની અમલવારીનો મુદ્દો હાલ અભેરાઈ પર ચડાવી દેવામાં આવ્યો છે. આથી હાલ લાખો ખેડૂતો સહાયની રાહમાં છે. જે મામલે ત્વરિત નિર્ણય લઈ ખેતી સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવી આવશ્યક છે. કયા પાકને કેટલી સહાય અને કેટલા એકરમાં સહાય ચૂકવવામાં આવશે તે મામલે કોઈ જ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. હવે જો આ અંગે આગામી તા. 20 ને ગુરુવાર સુધીમાં કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે તો જે જે તાલુકાઓમાં ગામડાઓમાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે તે તાલુકા મથકે આમ આદમી પાર્ટીના આગેવાનો ખેડૂતોને સાથે રાખી પ્રતીક ઉપવાસનું આયોજન કરશે તેવી ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા ચમકી ઉચ્ચારવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેસલમેરમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ
May 02, 2025 10:11 AMબૈસરનના હુમલાખોરો હજુ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે
May 02, 2025 10:09 AMકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech