BREAKING NEWS

રાજકોટ માર્કેટ યાર્ડમાં નાતાલની રજા રદ: નવી જણસીઓની ૫૦,૪૦૦ મણ આવક

  • December 25, 2025 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને લાગુ પડતી ન હોય તેવી મોટાભાગની જાહેર રજાઓ રદ કરીને મહતમ દિવસો કામ ચાલુ રાખવાના ચેરમેન જયેશભાઇ બોઘરાના નિર્ણયને લઇ યાર્ડમાં આજે નાતાલની રજા રદ કરીને કામકાજ ચાલુ રાખવામાં આવતા નવી જણસીઓની ૫૦,૪૦૦ મણ આવક થવા પામી હતી. ખેડૂતોના કુલ ૧૧૦૦ વાહનોને એન્ટ્રી અપાઇ હતી.

વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે યાર્ડમાં રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોના ૧૧૦૦ ખેડૂતો ઉમટ્યા હતા અને કપાસની સૌથી વધુ આવક નોંધાઇ હતી. ખેડૂતોના કુલ ૧૧૦૦થી વધુ વાહનોની આવક થઈ હતી. વિવિધ જણસીઓની નવી આવકોમાં ૧૯૫૦૦ મણ કપાસ, ૪૫૦૦ મણ સોયાબીન, ૨૦૦૦ મણ અડદ, ૨૦૦૦ મણ ઘઉં, ૪૦૦૦ મણ મગ, ૭૫૦૦ મણ ચણાની આવક, ૭૫૦૦ મણ લસણ, ૩૦૦૦ મણ સિંગફાડા, ૪૦૦૦ મણ સફેદ તલ, ૩૩૦૦ મણ જીરુંની આવક ૩૩૦૦ મણ, ૧૮૦૦ મણ કાળા તલની આવક થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application