કોઠારીયા મેઇન રોડ પર ખોડિયાર હોટેલ પાછળ પાણીની ખાણમાં કોઈ યુવાન પડો હોવાની ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે તાકીદે અહીં પહોંચી યુવાનના મૃતદેહને બહાર કાઢો હતો. અહીં પાણીની ખાણમાં ઝંપલાવનાર યુવાન જયનગર મફતિયાપરા વિસ્તારમાં રહેતો હોવાનું અને તે માનસિક અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલ સમી સાંજના કોઠારીયા મેઇન રોડ ખોડીયાર હોટલ પાછળ પાણીની ખાણમાં કોઈ વ્યકિત ડૂબી ગયા અંગેની જાણ ફાયર બ્રિગડને કરવામાં આવતા કોઠારીયા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ટીમ તાકીદે અહીં પહોંચી હતી અને પંદરેક મિનિટ શોધખોળ કર્યા બાદ યુવાનના મૃતદેહને અહીંથી બહાર કાઢો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ પણ અહીં પહોંચી ગયો હતો.
પાણીની ખાણમાંથી મળી આવેલો આ મૃતદેહ કોઠારીયા રોડ પર ખોડીયાર હોટલ પાછળ જયનગર શેરી નંબર ૩ મફતિયાપરા વિસ્તારમાં રહેતા મુકેશ ભાનુભાઇ ડોડીયા (ઉ.વ ૪૧) નો હોવાનું માલુમ પડું હતું. જેથી તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. મુકેશ ત્રણ ભાઈ એક બહેનના પરિવારમાં મોટો હતો અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાત ચલાવતો હતો તેને સંતાનમાં બે પુત્રી છે. યુવાનની છેલ્લા થોડા સમયથી માનસિક સ્થિતિ ઠીક ન હોય તેની દવા પણ ચાલતી હતી. દરમિયાન ગઈકાલે તેણે આ પગલું ભરી લીધું હતું.
એસટી બસપોર્ટ પાસે બીમારી સબબ યુવાનનું મોત
રાજકોટ એસટી બસપોર્ટ પાસે એક અજાણ્યો યુવાન બેભાન હાલતમાં પડો હોય જે અંગેની જાણ થતા ૧૦૮ ના સ્ટાફે અહીં આવી આ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું બીમારી સબબ યુવાનનું મોત થયું હોવાનું માલુમ પડું હતું. આ અંગે એ ડિવિઝન પોલીસે જરી કાર્યવાહી કરી યુવાનની ઓળખ મેળવવા તેના વાલીવારસની શોધખોળ શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech