ભાજપ સરકારે ગરીબ અને મઘ્યમ વર્ગ માટેની મનરેગા યોજના સરકારના જોરે સંસદમાં બહુમતી મેળવી બંધ કરી દેવામાં આવી છે, પૂ.મહાત્મા ગાંધીજીના નામે આ યોજના ચાલતી હતી, ત્યારે આરએસએસની વિચારધારા ધરાવતા સતામાં બેઠેલા લોકોએ ગઇકાલે સાંજે ચાંદીબજાર રોડ બાપુના બાવલા ખાતે કોંગ્રેસ દ્વારા યોજના બંધ કરવા બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સુત્રો પોકાર્યા હતાં કે મનરેગા ફકત ગાંધી યોજના નહીં, કરોડો ગરીબ મજુરોની રોજીરોટી છે.
આ યોજનામાં વિચારધારા ગરીબોની છે, મનરેગા યોજના નહીં સેવા વિચારધારા છે ગરીબોની આ પ્રકારના બેનરો તેમજ મનરેગા યોજનામાંથી મહાત્મા ગાંધીજીનું નામ શા માટે હટાવાયું ? તેવા પોસ્ટર પણ કાર્યકરોએ બતાવ્યા હતાં, આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, ડો.તોસીફખાન પઠાણ, શકિતસિંહ જેઠવા, મહીપાલસિંહ જાડેજા, સહારા મકવાણા, ભરત વાળા, કાસમભાઇ જોખીયા, પ્રવિણભાઇ જોખીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.