ખંભાળિયા તાલુકાના કોટા ગામે રહેતા સૈયદ રેશમાબેન મોહમદ યુસુફ સીરાજી તારીખ 6-6-2021 ના રોજ કોટા ગામેથી ઉપલેટા જવા માટે પોતાના પતિ તેમજ સંતાનો સાથે મોટરસાયકલમાં નીકળ્યા હતા. ત્યારે જામજોધપુરના માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થતાં એક ટ્રેક્ટરના ચાલક મગનભાઈ ગંગદાસભાઈ બાકોરીના ટ્રેક્ટર સાથે તેમનું મોટરસાયકલ અથડાયું હતું. જેના કારણે અરજદાર રેશમાબેનને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
જે અંગે વીમા કંપની પાસેથી રૂપિયા પાંચ લાખ મેળવવા માટેનો ક્લેમ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ખંભાળિયાના મોટર એકસીડન્ટ ટ્રિબ્યુનલ સમક્ષ ચાલી જતા અરજદાર પક્ષે તેમના ક્લેમની અરજીમાં દર્શાવેલી હકીકતો સાબિત કરવામાં નિષ્ફળ થતાં સામાવારાના તરફેણમાં કરવામાં આવેલી દલીલો તેમજ હાઈકોર્ટના ચુકાદાઓ એડવોકેટ પ્રતીક એમ. જોશી દ્વારા રજૂ કરવામાં આવતા મગનભાઈ બાકોરી તથા વીમા કંપનીને આ ક્લેમ કેસમાંથી દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
સાથે આ અકસ્માત અરજદાર મહિલાના પતિની બેદરકારીથી બનવા પામ્યો હોવાનું જણાવી, તેમને રૂ. 3,39,888 નું 6 ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા પણ નામદાર પ્રિન્સિપાલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા હુકમ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech